શોધખોળ કરો

Navratri Puja 2022: આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને આવશે, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. દર વર્ષે દેવીના આગમન અને પ્રસ્થાન સમયે તેમની પાસે અલગ-અલગ વાહનો હોય છે.

Navratri Puja 2022: શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. દર વર્ષે દેવીના આગમન અને પ્રસ્થાન સમયે તેમની પાસે અલગ-અલગ વાહનો હોય છે. ચાલો જાણીએ ઘટસ્થાપનનો સમય અને આ વખતે દેવી દુર્ગા કોની પર સવારી કરશે.

નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દેવીઓના નામ નીચે મુજબ છે-

  • શૈલપુત્રી
  • બ્રહ્મચારિણી
  • ચંદ્રઘંટા
  • કુષ્માંડા
  • સ્કંદમાતા
  • કાત્યાયની
  • કાલરાત્રી
  • મહાગૌરી
  • સિદ્ધિદાત્રી માતા

શારદીય નવરાત્રી 2022 ઘટસ્થાપન મુહૂર્ત

  • શારદીય નવરાત્રી એકમ શરૂ થાય છે - 26 સપ્ટેમ્બર 2022 સવારે 3.24 કલાકે
  • શારદીય નવરાત્રી એકમ સમાપ્તિ - 27 સપ્ટેમ્બર 2022 સવારે 03.08 કલાકે
  • ઘટસ્થાપન મુહૂર્ત - 26 સપ્ટેમ્બર 2022 સવારે 06.20 થી 10.19 સુધી
  • અભિજીત મુહૂર્ત - બપોરે 12:06 થી 12:54 વાગ્યા સુધી (26 સપ્ટેમ્બર 2022)

દેવી દુર્ગાનું વાહન કેવી રીતે નક્કી થાય છે?

મા દુર્ગા સિંહ પર સવારી કરે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર જ્યારે દેવી દુર્ગા નવરાત્રીમાં કૈલાસથી પૃથ્વીલોકમાં આવે છે ત્યારે તેમનું વાહન અલગ હોય છે. નવરાત્રીમાં જગતજનની દુર્ગાનું આગમન અને પ્રસ્થાન અઠવાડિયાના દિવસના આધારે નક્કી કરવામાં આવે છે.

મા દુર્ગાના વાહનો ક્યા છે?  

સિંહ એ મા દુર્ગાનું મુખ્ય વાહન છે. આ સિવાય ધાર્મિક ગ્રંથો અનુસાર દેવી દુર્ગા હાથી, ઘોડા, હોડી, પાલખી પર પણ સવારી કરે છે. આ વર્ષે શારદીય નવરાત્રીમાં માતાનું આગમન હાથી પર થશે.

કયા દિવસે મા દુર્ગાનું વાહન શું છે?

મા જગદંબાની સવારી નવરાત્રી શરૂ થાય તે દિવસે નિર્ભર કરે છે. જે દિવસથી નવરાત્રી શરૂ થાય છે અને જે દિવસે માતા વિદાય લે છે, એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેની સવારી નક્કી કરે છે. જો રવિવાર અથવા સોમવારથી નવરાત્રી શરૂ થાય છે, તો મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે. બુધવારથી નવરાત્રિ શરૂ થાય છે ત્યારે માતા હોડીમાં આવે છે. જ્યારે ગુરુવાર અથવા શુક્રવારથી નવરાત્રી શરૂ થાય છે, ત્યારે માતા દુર્ગા ડોલીમાં બેસીને આવે છે. મંગળવાર અને શનિવારે માતાનું વાહન ઘોડો છે.

કયા વાહનનું મહત્વ શું છે?

गजे च जलदा देवी क्षत्र भंग स्तुरंगमे।

नोकायां सर्वसिद्धि स्या ढोलायां मरणंधुवम्।।

આ શ્લોકમાં દેવી દુર્ગાના તમામ વાહનોનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જેની અસર દેશ અને લોકો પર પડે છે. તેમજ માતાનું દરેક વાહન વિશેષ સંદેશ આપે છે. મા દુર્ગા હાથી પર સવાર થાય છે એટલે વધુ વરસાદનો સંકેત મળે છે. જ્યારે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવે છે ત્યારે તેને શુભ માનવામાં આવતું નથી. જે સત્તામાં ઉથલપાથલ, કુદરતી આફતોની નિશાની છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી દુર્ગાનું વાહન નૌકા હોય છે, ત્યારે તે તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. માતાનું પાલખી (ડોલી) પર આવવું એટલે રોગચાળાની સ્થિતિ સર્જાય છે. આ જાહેર નુકસાનની નિશાની છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : સોસાયટીના પ્રમુખ-મંત્રીથી સાવધાન । abp AsmitaHun To Bolish : સહકારના બહાને સંગ્રામ । abp AsmitaVadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી
ગેસ સિલિન્ડર પર બીજી કંપનીનું રેગ્યેલેટર લગાવવું ભારે પડશે! થઈ શકે છે લાખોનું નુકસાન
ગેસ સિલિન્ડર પર બીજી કંપનીનું રેગ્યેલેટર લગાવવું ભારે પડશે! થઈ શકે છે લાખોનું નુકસાન
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Embed widget