શોધખોળ કરો

Navratri Puja 2022: આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને આવશે, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. દર વર્ષે દેવીના આગમન અને પ્રસ્થાન સમયે તેમની પાસે અલગ-અલગ વાહનો હોય છે.

Navratri Puja 2022: શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. દર વર્ષે દેવીના આગમન અને પ્રસ્થાન સમયે તેમની પાસે અલગ-અલગ વાહનો હોય છે. ચાલો જાણીએ ઘટસ્થાપનનો સમય અને આ વખતે દેવી દુર્ગા કોની પર સવારી કરશે.

નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દેવીઓના નામ નીચે મુજબ છે-

  • શૈલપુત્રી
  • બ્રહ્મચારિણી
  • ચંદ્રઘંટા
  • કુષ્માંડા
  • સ્કંદમાતા
  • કાત્યાયની
  • કાલરાત્રી
  • મહાગૌરી
  • સિદ્ધિદાત્રી માતા

શારદીય નવરાત્રી 2022 ઘટસ્થાપન મુહૂર્ત

  • શારદીય નવરાત્રી એકમ શરૂ થાય છે - 26 સપ્ટેમ્બર 2022 સવારે 3.24 કલાકે
  • શારદીય નવરાત્રી એકમ સમાપ્તિ - 27 સપ્ટેમ્બર 2022 સવારે 03.08 કલાકે
  • ઘટસ્થાપન મુહૂર્ત - 26 સપ્ટેમ્બર 2022 સવારે 06.20 થી 10.19 સુધી
  • અભિજીત મુહૂર્ત - બપોરે 12:06 થી 12:54 વાગ્યા સુધી (26 સપ્ટેમ્બર 2022)

દેવી દુર્ગાનું વાહન કેવી રીતે નક્કી થાય છે?

મા દુર્ગા સિંહ પર સવારી કરે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર જ્યારે દેવી દુર્ગા નવરાત્રીમાં કૈલાસથી પૃથ્વીલોકમાં આવે છે ત્યારે તેમનું વાહન અલગ હોય છે. નવરાત્રીમાં જગતજનની દુર્ગાનું આગમન અને પ્રસ્થાન અઠવાડિયાના દિવસના આધારે નક્કી કરવામાં આવે છે.

મા દુર્ગાના વાહનો ક્યા છે?  

સિંહ એ મા દુર્ગાનું મુખ્ય વાહન છે. આ સિવાય ધાર્મિક ગ્રંથો અનુસાર દેવી દુર્ગા હાથી, ઘોડા, હોડી, પાલખી પર પણ સવારી કરે છે. આ વર્ષે શારદીય નવરાત્રીમાં માતાનું આગમન હાથી પર થશે.

કયા દિવસે મા દુર્ગાનું વાહન શું છે?

મા જગદંબાની સવારી નવરાત્રી શરૂ થાય તે દિવસે નિર્ભર કરે છે. જે દિવસથી નવરાત્રી શરૂ થાય છે અને જે દિવસે માતા વિદાય લે છે, એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેની સવારી નક્કી કરે છે. જો રવિવાર અથવા સોમવારથી નવરાત્રી શરૂ થાય છે, તો મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે. બુધવારથી નવરાત્રિ શરૂ થાય છે ત્યારે માતા હોડીમાં આવે છે. જ્યારે ગુરુવાર અથવા શુક્રવારથી નવરાત્રી શરૂ થાય છે, ત્યારે માતા દુર્ગા ડોલીમાં બેસીને આવે છે. મંગળવાર અને શનિવારે માતાનું વાહન ઘોડો છે.

કયા વાહનનું મહત્વ શું છે?

गजे च जलदा देवी क्षत्र भंग स्तुरंगमे।

नोकायां सर्वसिद्धि स्या ढोलायां मरणंधुवम्।।

આ શ્લોકમાં દેવી દુર્ગાના તમામ વાહનોનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જેની અસર દેશ અને લોકો પર પડે છે. તેમજ માતાનું દરેક વાહન વિશેષ સંદેશ આપે છે. મા દુર્ગા હાથી પર સવાર થાય છે એટલે વધુ વરસાદનો સંકેત મળે છે. જ્યારે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવે છે ત્યારે તેને શુભ માનવામાં આવતું નથી. જે સત્તામાં ઉથલપાથલ, કુદરતી આફતોની નિશાની છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી દુર્ગાનું વાહન નૌકા હોય છે, ત્યારે તે તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. માતાનું પાલખી (ડોલી) પર આવવું એટલે રોગચાળાની સ્થિતિ સર્જાય છે. આ જાહેર નુકસાનની નિશાની છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.