![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sawan 2022: શ્રાવણમાં શિવજીને ચડાવો આ વૃક્ષના મૂળ, મહાલક્ષ્મી થશે પ્રસન્ન, ધનના ભંડાર ભરાશે
શ્રાવણ મહિનાની શરુઆત થઈ ચુકી છે. શ્રાવણના તમામ સોમવારે પૂજામાં, શિવના ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે બિલીપત્રના પાન અવશ્ય ચઢાવે છે.
![Sawan 2022: શ્રાવણમાં શિવજીને ચડાવો આ વૃક્ષના મૂળ, મહાલક્ષ્મી થશે પ્રસન્ન, ધનના ભંડાર ભરાશે Sawan Somwar 2022 Offer Belpatra Root To Lord Shiva Get Blessings Of Maa Laxmi No Lack Of Money In Life Sawan 2022: શ્રાવણમાં શિવજીને ચડાવો આ વૃક્ષના મૂળ, મહાલક્ષ્મી થશે પ્રસન્ન, ધનના ભંડાર ભરાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/d81f5eeaecdf2989290be96bca544637_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sawan 2022 Belpatra: શ્રાવણ મહિનાની શરુઆત થઈ ચુકી છે. શ્રાવણના તમામ સોમવારે પૂજામાં, શિવના ભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે બિલીપત્રના પાન અવશ્ય ચઢાવે છે. બિલીપત્ર શિવને ખૂબ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ માસના સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યાદાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં પણ ભોલેનાથની કૃપા મેળવવા માટે બિલીપત્રના વૃક્ષનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જે રીતે શાસ્ત્રોમાં મહાદેવની પૂજામાં બિલીના ફળ અને બિલીપત્રનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે, તેવી જ રીતે બિલીના મૂળનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનો થોડા દિવસ પહેલાં જ શરુ થયો છે ત્યારે બિલીપત્રના મૂળનો લાભ મેળવવાનો શુભ અવસર છે. ચાલો જાણીએ બિલીપત્રના વૃક્ષની વિશેષતાઓ.
શ્રાવણમાં બિલીપત્રના મૂળનું મહત્વ:
બિલીપત્રના વૃક્ષને શ્રીવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ છે. જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં આ વૃક્ષની પૂજા કરે છે તેને મહાદેવની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
શ્રાવણમાં બિલીપત્રના ઝાડના મૂળમાં જળ ચઢાવવાથી અને તેની પૂજા કરવાથી શિવની વિશેષ કૃપા થાય છે અને બધા પાપોનો પણ નાશ થાય છે. એવું માનવામાં આવે છે કે, શ્રાવણના સોમવારની પૂજામાં શિવલિંગ પર બિલીપત્રનું થોડું મૂળ ચઢાવવાથી આવકમાં વધારો થાય છે.
શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે બિલીપત્રના ઝાડની પૂજા કરો. મૂળને ઘરે લાવીને લાલ કપડામાં બાંધીને તિજોરી કે પૈસાની જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આશીર્વાદ રહે છે અને પૈસા આવે છે.
શ્રાવણમાં બિલીપત્રના ઝાડ પાસે કોઈ પણ જરૂરિયાતમંદ અથવા શિવભક્તને ઘી, ભોજન અથવા મીઠાઈનું દાન કરવાથી ગરીબી આવતી નથી. આર્થિક સંકટમાંથી મુક્તિ પણ મળે છે.
ધાર્મિક માન્યતા અનુસાર મગજ પર બિલીપત્રના મૂળને સ્પર્શ કરવાથી જ તમામ તીર્થોની પુણ્ય પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે બિલીના વૃક્ષના મૂળની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)