Shrawan Somwar 2022: શ્રાવણના બીજા સોમવારે આ રીતે કરો શિવના અર્ધનારીશ્વર રૂપની પૂજા, વૈવાહિક જીવનમાં નહીં આવે તણાવ
Shrawan Second Somwar 2022: શ્રાવણ મહિનાનો બીજો સોમવાર 8 ઓગસ્ટ, 2022ના રોજ છે. આ દિવસે શિવના અર્ધનારીશ્વર રૂપની પૂજાનો મહિમા છે.
![Shrawan Somwar 2022: શ્રાવણના બીજા સોમવારે આ રીતે કરો શિવના અર્ધનારીશ્વર રૂપની પૂજા, વૈવાહિક જીવનમાં નહીં આવે તણાવ Shrawan 2022: On second monday do lord Mahadev Ardhnarishwar Puja details inside Shrawan Somwar 2022: શ્રાવણના બીજા સોમવારે આ રીતે કરો શિવના અર્ધનારીશ્વર રૂપની પૂજા, વૈવાહિક જીવનમાં નહીં આવે તણાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/58f21d7232b7a44ac674c0098feabb871659786114_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shrawan Second somwar 2022, Ardhnarishwar Puja: શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિમા અલૌકિક છે. શિવ પુરાણમાં શિવ શંભુના અનેક સ્વરૂપોનો ઉલ્લેખ છે. આમાંથી એક ભોલેનાથનું અર્ધનારીશ્વર સ્વરૂપ છે. શ્રાવણના બીજા સોમવારે મહાદેવના અર્ધનારીશ્વર સ્વરૂપની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય, સંતાન સુખ અને લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. ભગવાન શંકરના અર્ધનારીશ્વર અવતારમાં, શિવનું અડધું શરીર સ્ત્રીનું છે અને અડધું પુરુષ છે. શિવને શા માટે અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કરવું પડ્યું અને શ્રાવણના સોમવારે શિવના આ સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી તે જાણીએ.
શિવના અર્ધનિરીશ્વર સ્વરૂપની પૂજા વિધિ
- શ્રાવણના બીજા સોમવારે સૂર્યોદય પહેલા સ્નાન કરીને ભોળાનાથનો જલાભિષેક કરો.
- મહાદેવના અર્ધનારીશ્વર સ્વરૂપનું ધ્યાન કરતી વખતે દેવી પાર્વતીની પણ પૂજા કરો.
- શિવલિંગ પર ચંદન, બિલીપત્ર, ધતુરો અને અક્ષત અર્પણ કર. તેમજ દેવી પાર્વતીને સોળ શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો.
- ષોડોપશાચારથી માતા ગૌરી-મહાદેવની પૂજા કર્યા પછી ખીરનો ભોગ લગાવો
- અર્ધનારીશ્વર સ્વરૂપની પૂજા કરતી વખતે ‘ऊं महादेवाय सर्व कार्य सिद्धि देहि-देहि कामेश्वराय नमः મંત્રના 11 જાપ ખૂબ ફળદાયી માનવામાં આવે છે.
- શ્રાવણ સોમવારની પૂજામાં અર્ધનારીશ્વર સ્તોત્રનો પાઠ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં તણાવ નથી આવતો. શિવ-શક્તિની સંયુક્ત કૃપા પ્રાપ્ત થાય છે.
- પરિવાર સાથે ભોળાનાથની આરતી કરો અને પછી પ્રસાદનું વિતરણ કરો.
શિવે અર્ધનારીશ્વરનું રૂપ કેમ લીધું?
શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને સ્ત્રી અને પુરુષની સમાનતાનું પ્રતિક માનવામાં આવે છે. સમાજમાં સ્ત્રી અને પુરુષનું જીવન એકબીજા વિના અધૂરું છે. શિવપુરાણ અનુસાર શિવનું આ સ્વરૂપ વિશ્વના વિકાસની નિશાની છે. દંતકથા અનુસાર, સૃષ્ટિની રચનાની જવાબદારી ભગવાન બ્રહ્માની હતી. જ્યારે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચનાનું કાર્ય શરૂ કર્યું ત્યારે તેમને ચિંતા હતી કે તેના વિકાસની ગતિ કેવી હશે.
અર્ધનારીશ્વરના રૂપમાં જગતનું રહસ્ય છુપાયેલું છે
ઊંડા ચિંતન પછી પણ જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે બ્રહ્માજી શિવજી પાસે પહોંચ્યા. મૈથુની વિશ્વની રચના માટે, તેમણે શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી. બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથ અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રગટ થયા. શિવનો અડધો ભાગ પુરુષ હતો અને બાકીનામાં શક્તિ એટલે કે સ્ત્રી હતી.
શક્તિ શિવથી અલગ થઈ ગઈ
મહાદેવ અર્ધનારીશ્વરના રૂપમાં પ્રગટ થયા અને બ્રહ્માજીને કહ્યું કે તમારે સ્ત્રી અને પુરુષ બંનેની સૃષ્ટિની રચના કરવી પડશે, જે પ્રજનન દ્વારા સૃષ્ટિને આગળ લઈ જઈ શકે. આ રીતે શક્તિ શિવથી અલગ થઈ અને પછી શક્તિએ પોતાના સ્વરૂપમાં બીજી સ્ત્રી બનાવી. આ શક્તિએ ફરીથી દક્ષના ઘરે તેમની પુત્રી તરીકે જન્મ લીધો, ત્યારબાદ મૈથુનીની રચનાનો વિકાસ થયો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)