શોધખોળ કરો

Tulsi Plant: ઘરમાં છે તુલસીનો છોડ ? જાણી લો આ જરુરી વાત, નહીં તો નારાજ થશે દેવી લક્ષ્મી 

સનાતન ધર્મમાં તુલસીના છોડને  સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ઘરમાં લગાવવાથી શુભફળ મળે છે.

સનાતન ધર્મમાં તુલસીના છોડને  સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ઘરમાં લગાવવાથી શુભફળ મળે છે. સામાન્ય રીતે આ પવિત્ર છોડ દરેક ઘરમાં હોય છે. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના છોડ વગર અધૂરી માનવામાં આવે છે.

તેના ફાયદા જોઈને લોકો તેને પોતાના ઘરમાં લગાવે છે, પરંતુ તેની યોગ્ય કાળજી અને પૂજા કરવાનું ભૂલી જાય છે, તો ચાલો જાણીએ તુલસીના છોડ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો. 

દરરોજ સવાર-સાંજ તુલસીની સામે દીવો પ્રગટાવો. રોજ તુલસીને પાણી ચઢાવો. તુલસીના છોડને સૂર્યપ્રકાશમાં રાખો, જેથી તેનો સંપૂર્ણ વિકાસ થઈ શકે. તેની આસપાસ સ્વચ્છતા જાળવો. દરરોજ 3, 5, 7 વાર તેની પરિક્રમા કરો, તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તુલસીના છોડને ક્યારેય ગંદા હાથથી અડવો નહીં.

તુલસીના પાન  તોડતા પહેલા તેને પ્રણામ કરો અને પછી તોડો.  એકાદશી, પૂર્ણિમા અને રવિવારે તુલસીના પાન ન  તોડવા. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ.

તુલસીનો છોડ એક વાસણમાં સ્વચ્છ જગ્યાએ વાવો. તેને પાણી અર્પણ કરો અને કુમકુમ તિલક કરો. ફૂલોની માળા અર્પણ કરો. તેમની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. પછી ફળ, મીઠાઈ વગેરે અર્પણ કરો. માતાના વૈદિક મંત્રોનો જાપ કરીને પ્રાર્થના કરો. છેલ્લે આરતી સાથે તમારી પૂજા પૂર્ણ કરો. પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માગો. 

તુલસીના છોડની પૂજાનું અનેરૂ મહત્વ છે પરંતુ, શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ અશુભ મનાય છે. 

વાસ્તુ અનુસાર ભૂલથી પણ તુલસીની પાસે કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ તેના કારણે ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે. આ ઉપરાંત ઘરમાં ઝઘડા પણ વધે છે. જો તમે ઈચ્છો તો ગુલાબનો છોડ રાખી શકો છો પરંતુ, અંતર રાખો કારણકે ગુલાબનો છોડ પણ કાંટાવાળો હોય છે.

શાસ્ત્રો અનુસાર ભૂલથી પણ તુલસીના છોડની પાસે સાવરણી ન રાખવી જોઈએ કેમકે સાવરણીનો ઉપયોગ ઘરની ગંદકી સાફ કરવા માટે થાય છે. તુલસી પાસે સાવરણી રાખવાથી તુલસીજીનું અપમાન ગણાય છે. આમ કરવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે અને વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.  

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીના છોડ વાવે છે અને રોજ પૂજા કરે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Embed widget