શોધખોળ કરો

Krishna Janmashtami 2022 Upay: કૃષ્ણા જન્માષ્ટમીની રાત્રે કરો આ ખાસ ઉપાય, નોકરી, વ્યવસાયમાં થશે ઉન્નતિ

Krishna Janmashtami 2022: એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે ઉજવવામાં આવે છે. કેટલાક ખાસ ઉપાયોથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ તેમના વિશે.

Krishna Janmashtami 2022: એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે  ઉજવવામાં આવે છે. કેટલાક ખાસ ઉપાયોથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ તેમના વિશે.

ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે ઉપાય

જન્માષ્ટમીની રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. જ્યોતિષમાં આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો. આ તમારા જીવનમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે.

પરિવારમાં સુખ શાંતિનો ઉપાય

પરિવારમાં લડાઇ-ઝઘડા અને કલેશથી પરેશાન છો. તો જન્માષ્ટમીની સાંજે ઘરમાં તુલસીના છોડની પાસે ઘીનો દીપક પ્રગટાવો,ત્યારબાદ  ઓમ નમ; ભગવતે વાસુદેવાયના જાપ કરો અને તુલસીની 11 વાર પ્રદક્ષિણા કરો. આપના પરિવારમાં પ્રેમનું વાતાવરણ બની રહેશે.

ઘન લાભ માટે કરો આ ઉપાય

જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી કોઈપણ રાધા-કૃષ્ણ મંદિરમાં જઈને શ્રી કૃષ્ણજીને પીળા ફૂલોની માળા અર્પણ કરો. આના કારણે નાણાંકીય લાભની પ્રબળ તકો બનશે  નાણાકીય સમસ્યાઓ દૂર થવા લાગશે.  આ દિવસે પીળા વસ્ત્રો, પીળા ફળ, પીળા અનાજ અને પીળી મીઠાઈનું મંદિરમાં દાન કરવાથી જીવનમાં ધન અને કીર્તિ વધે છે.

Janmashtami 2022 Date: ક્યારે છે જન્માષ્ટમી ? જાણો આ વખતે જન્માષ્ટમી કેમ છે ખાસ

Janmashtami 2022: જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમની તિથિએ ઉજવવામાં આવે છે કારણ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. પરંતુ આ વખતે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોના મનમાં ઘણી દુવિધા છે. અષ્ટમી તિથિ 18 ઓગસ્ટની રાત્રે શરૂ થશે અને 19 ઓગસ્ટની રાત સુધી રહેશે. આવી સ્થિતિમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવો તે અંગે ભારે મૂંઝવણ છે.

જન્માષ્ટમી 2022 ક્યારે છે

આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોમાં ઘણો મતભેદ છે. કારણ કે અષ્ટમીની તારીખ 18 ઓગસ્ટની રાત્રે શરૂ થશે અને કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જન્માષ્ટમી 18 ઓગસ્ટે જ ઉજવવી જોઈએ કારણ કે ભગવાન કૃષ્ણનો જન્મ 12 વાગ્યે થયો હતો. અષ્ટમી તિથિ 19મી ઓગસ્ટે આખો દિવસ રહેશે. આવી સ્થિતિમાં કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે 19 ઓગસ્ટે જન્માષ્ટમીનું વ્રત રાખવું ઉદયતિથિ અનુસાર શુભ રહેશે. આ જ કારણ છે કે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવશે.

 ધાર્મિક ગ્રંથો અનુસાર કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો. તેથી આ તહેવાર  પર રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનો નિયમ છે. આ વખતની જન્માષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે અદભૂત યોગ બની રહ્યા છ

કૃષ્ણ જન્માષ્ટમી 2022 શુભ મુહૂર્ત અને યોગ

  • જન્માષ્ટમી તિથિનો પ્રારંભ - 18 ઓગસ્ટ 2022, 09:21 વાગ્યાથી
  • જન્માષ્ટમી તિથિ પૂર્ણાહુતિ - 19 ઓગસ્ટ 2022, રાત્રે 10.59 વાગ્યે
  • અભિજીત મુહૂર્ત - 18 ઓગસ્ટ 2022, બપોરે 12.05 થી 12.56
  • વૃદ્ધિ યોગનો આરંભ - 17 ઓગસ્ટ 2022, રાત્રે 08.56 વાગ્યે
  • વૃદ્ધિ યોગ સમાપ્ત - 18 ઓગસ્ટ 2022, 08.41 AM
  • ધ્રુવ યોગ આરંભ - 18 ઓગસ્ટ 2022, 08.41 મિનિટ PM
  • ધ્રુવ યોગ સમાપ્ત - 19 ઓગસ્ટ 2022,08.59 મિનિટ PM
  • વ્રત પારણા સમય - 19 ઓગસ્ટ 2022, રાત્રે 10.59 વાગ્યા પછી

પંચાગ અનુસાર વર્ષ 2022માં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ધ્રુવ યોગ અને વૃદ્ઘિ યોગ બની રહ્યા છે જે કૃષ્ણ પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળામાં કરવામાં આવેલી દરેક ક્રિયા સંપૂર્ણ છે.

કૃષ્ણ જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે?

ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કંસના અત્યાચારથી ધરતીને મુક્ત કરાવવા માટે થયો હતો. માન્યતા છે કે આ દિવસે બાલ ગોપાલની અડધી રાત્રે પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના આગમન માટે ભક્તો ઘર અને મંદિરોમાં વિશેષ સજાવટ કરે છે. વ્રત રાખીને નિયમથી લડ્ડુ ગોપાલનો અભિષેક કરીને આખી રાત મંગલ ગીતો ગવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Embed widget