શોધખોળ કરો

Pitru Paksha 2023: શ્રાદ્ધમાં ભૂલથી પણ ન કરો આ કામ પિત્તૃ થઇ જશે નારાજ, જાણો પિત્તૃપક્ષના નિયમ

પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબરે પૂર્ણ થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની વર્જિત મનાય છે. આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

Pitru Paksha 2023:પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજોને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું યોગ્ય રીતે શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને 15 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 29  સપ્ટેમ્બરથી શરૂ થયો છે તો 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ કોપાયમાન થાય છે. ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ.

પિતૃ પક્ષ દરમિયાન આ 5 કામ ન કરવા જોઈએ

પિતૃપક્ષ દરમિયાન આખા 15 દિવસ સુધી ઘરમાં પુણ્યનું વાતાવરણ હોવું જોઈએ. આ સમયગાળા દરમિયાન ઘરમાં માંસાહારી ખોરાક ન બનાવવો જોઈએ. જો શક્ય હોય તો આ દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.

પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ સમગ્ર 15 દિવસ સુધી તેના વાળ અને નખ ન કાપવા જોઈએ. આ ઉપરાંત આ લોકોએ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે. તેથી તેમને હેરાન ન કરવા જોઈએ. આમ કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે, તેના બદલે પિતૃપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જોઈએ.

પિતૃ પક્ષ દરમિયાન માત્ર માંસાહારી જ નહીં પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ પણ ખાવાની મનાઈ છે. આ દિવસોમાં ગોળ, જીરૂ,  ચણા, જીરું અને સરસવના  ખાવાની મનાઈ છે.

પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહસ્કાર જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શોકનું વાતાવરણ હોય છે, તેથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Embed widget