શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ રાખવાના છે ખાસ વાસ્તુના નિયમસ જાણો કઇ દિશામાં રાખવું છે અશુભ

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.

આ દિશામાં તુલસીનો છોડ વાવો

વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.

Rashi Lucky Stone: તુલા રાશિના લોકો માટે ભાગ્યશાળી છે, આ રત્ન પહેરતાની સાથે જ  બદલી જશે નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે. રત્ન શાસ્ત્રમાં આવા અનેક રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિની કુંડળીમાં નબળા ગ્રહના અશુભ પ્રભાવોને ઓછો કરે છે. આ સાથે તેઓ ગ્રહોને મજબૂત કરવાનું કામ પણ કરે છે. રત્ન શાસ્ત્રમાં અલગ-અલગ રત્નોને જીવનના તમામ પાસાઓ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો સંબંધિત રત્નો પહેરવાથી વ્યક્તિને રાહત મળે છે. કહેવાય છે કે, રાશિ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રની સલાહ મુજબ રત્ન પહેરવામાં આવે તો વધુ શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિ ધનવાન પણ બની શકે છે અને તેના જીવનની પરેશાનીઓ ઓછી થઈ શકે છે. આજે આપણે તુલા રાશિ વિશે જાણીશું. તુલા રાશિના લોકોએ કયો રત્ન પહેરવો જોઈએ, ચાલો જાણીએ તેના વિશે...

તુલા રાશિ માટે ભાગ્યશાળી રત્ન
તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં શુક્રને મંત્રીનો દરજ્જો મળ્યો છે. તે કલા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ અને ભોગવિલાસનો કારક  માનવામાં આવે છે. શુક્રની કૃપાથી તુલા રાશિના લોકોનું જીવન સારું રહે છે.
એવું કહેવાય છે કે જો તુલા રાશિના લોકોની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તેમણે સફેદ હીરા અથવા જરકન રત્ન ધારણ કરવું જોઈએ. આ કારણે શુક્ર શુભ ફળ આપવા લાગે છે. તુલા રાશિના જે લોકો હીરા પહેરે છે, તેમને પ્રેમ લગ્નમાં સફળતા મળે છે.
આ રત્ન ભાગ્યશાળી પણ છે
હીરા ખૂબ મોંઘું રત્ન છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ કારણસર તેને પહેરી શકતા નથી, તો તેના બદલે તમે ઓપલ પણ પહેરી શકો છો. ઓપલના પ્રભાવથી તુલા રાશિના લોકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે.
રત્નો ઉપરાંત રુદ્રાક્ષ  પણ ભાગ્યશાળી  છે
રત્નો સિવાય તુલા રાશિના લોકોએ જાડી અને રુદ્રાક્ષમાં છ મુખવાળો રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બનશે. તમને આ ગ્રહ સંબંધિત શુભ પરિણામ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમીમાં કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમીમાં કરો આ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Embed widget