શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં તુલસીનો છોડ રાખવાના છે ખાસ વાસ્તુના નિયમસ જાણો કઇ દિશામાં રાખવું છે અશુભ

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.

આ દિશામાં તુલસીનો છોડ વાવો

વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.

Rashi Lucky Stone: તુલા રાશિના લોકો માટે ભાગ્યશાળી છે, આ રત્ન પહેરતાની સાથે જ  બદલી જશે નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં રત્નોનું વિશેષ મહત્વ હોય છે. રાશિ પ્રમાણે વ્યક્તિના જીવનમાં અલગ-અલગ રત્નોનો ખાસ પ્રભાવ હોય છે. રત્ન શાસ્ત્રમાં આવા અનેક રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિની કુંડળીમાં નબળા ગ્રહના અશુભ પ્રભાવોને ઓછો કરે છે. આ સાથે તેઓ ગ્રહોને મજબૂત કરવાનું કામ પણ કરે છે. રત્ન શાસ્ત્રમાં અલગ-અલગ રત્નોને જીવનના તમામ પાસાઓ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો સંબંધિત રત્નો પહેરવાથી વ્યક્તિને રાહત મળે છે. કહેવાય છે કે, રાશિ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રની સલાહ મુજબ રત્ન પહેરવામાં આવે તો વધુ શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિ ધનવાન પણ બની શકે છે અને તેના જીવનની પરેશાનીઓ ઓછી થઈ શકે છે. આજે આપણે તુલા રાશિ વિશે જાણીશું. તુલા રાશિના લોકોએ કયો રત્ન પહેરવો જોઈએ, ચાલો જાણીએ તેના વિશે...

તુલા રાશિ માટે ભાગ્યશાળી રત્ન
તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં શુક્રને મંત્રીનો દરજ્જો મળ્યો છે. તે કલા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ અને ભોગવિલાસનો કારક  માનવામાં આવે છે. શુક્રની કૃપાથી તુલા રાશિના લોકોનું જીવન સારું રહે છે.
એવું કહેવાય છે કે જો તુલા રાશિના લોકોની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તેમણે સફેદ હીરા અથવા જરકન રત્ન ધારણ કરવું જોઈએ. આ કારણે શુક્ર શુભ ફળ આપવા લાગે છે. તુલા રાશિના જે લોકો હીરા પહેરે છે, તેમને પ્રેમ લગ્નમાં સફળતા મળે છે.
આ રત્ન ભાગ્યશાળી પણ છે
હીરા ખૂબ મોંઘું રત્ન છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ કારણસર તેને પહેરી શકતા નથી, તો તેના બદલે તમે ઓપલ પણ પહેરી શકો છો. ઓપલના પ્રભાવથી તુલા રાશિના લોકોને તમામ સુખ પ્રાપ્ત થાય છે.
રત્નો ઉપરાંત રુદ્રાક્ષ  પણ ભાગ્યશાળી  છે
રત્નો સિવાય તુલા રાશિના લોકોએ જાડી અને રુદ્રાક્ષમાં છ મુખવાળો રુદ્રાક્ષ પણ ધારણ કરવો જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બનશે. તમને આ ગ્રહ સંબંધિત શુભ પરિણામ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vastu Tips: મિરરને આ દિશામાં રાખવી છે અશુભ, જાણો અરીસાના વાસ્તુ નિયમ
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય
Vatsu Tips For Good Life: ઘરમાં આ વસ્તુ લાવે છે શુભતા, સમૃદ્ધિ માટે કરો ખાસ ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Embed widget