Vastu Tips: શુભ કાર્યમાં છીંક અડચણરૂપ નિવડે છે? શું કહે છે જ્યોતિષશાસ્ત્ર, જાણો નિવારણના ઉપાય
કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય અથવા યાત્રા પર જતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવું માનવામાં આવે છે કે, ઘરની બહાર નીકળતી વખતે જો કોઈ વ્યક્તિ છીંકે અથવા અડચણ કરે તો કામ બગડવાનો ભય રહે છે.

Vastu Tips:કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય અથવા યાત્રા પર જતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવું માનવામાં આવે છે કે, ઘરની બહાર નીકળતી વખતે જો કોઈ વ્યક્તિ છીંકે અથવા અડચણ કરે તો કામ બગડવાનો ભય રહે છે.
તમે અવારનવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે, જો કોઈ કામ પર નીકળતા પહેલા કોઈને છીંક આવે કે વચ્ચે આવે તો અશુભ થવાનો ભય રહે છે. નહીં તો તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં નિષ્ફળતા પણ મળી શકે છે. આવી સ્થિતિ ટાળવા માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી આવનાર સંકટ ટળી જાય છે.
પાછા ફરીને જવાબ ન આપો
જો કોઈ અગત્યના કામ માટે ઘરેથી નીકળતી વખતે કોઈ અડચણ સર્જાઇ તો આવી સ્થિતિમાં પાછળ જોઈને તેની વાતનો જવાબ ન આપવો જોઈએ, પરંતુ કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને સીધા જ જવું જોઈએ. જો તમને રસ્તામાં કોઈ મંદિર દેખાય, તો ભગવાનને સર્વ શ્રેષ્ઠ પરિણામ માટે પ્રાર્થના કરો અને પછી નીકળી જાઓ.
આ ઉપાયથી ખતરો ટળી જાય છે
હંમેશા આપની સાથે કંઈક ખાવાની વસ્તુ રાખવી જોઈએ. તે રસ્તામાં આવતા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા પ્રાણીને આપવી જોઈએ. આનાથી કોઈ અશુભ થવાનો ભય નથી રહેતો. જો કોઈને ઘરની બહાર નીકળતા પહેલા છીંક આવે તો થોડીવાર રાહ જોવી અથવા પાણી પીધા પછી નીકળી જવું.
આ છીંક અશુભ છે
જરૂરી નથી કે, દરેક છીંક અશુભ હોય. ક્યારેક તે શુભ ફળ પણ આપે છે. આગળની બાજુથી છીંક આવવી કે જમણી બાજુથી છીંક આવવી એ શુભ માનવામાં આવતી નથી. બીજી તરફ, જો કોઈને ડાબી બાજુથી છીંક આવે છે, તો તે એક શુભ સંકેત છે.
પ્રવાસ રદ કરો
ઘરની બહાર નીકળતા પહેલા જો કોઇને છીક આવે તો પાછા વળીને ઇષ્ટ દેવતાનું સ્મરણ કરીને પ્રણામ કરો, આવું કરવાથી છીક આવવાની ખરાબ અસર ખતમ થઈ જાય છે. જો કોઈ સંબંધી બહાર નીકળતી વખતે ડાબી બાજુથી છીંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં યાત્રા રદ કરવી જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
