શોધખોળ કરો

તમારી આ ભૂલોને કારણે ઘટી રહી છે કારની એવરેજ, જાણો તેનાથી બચવા માટેની ટીપ્સ

Car Mileage Tips: ટ્રાફિક સિગ્નલ પર અથવા લાંબા ટ્રાફિક જામ દરમિયાન એન્જિન ચાલુ રાખવાથી ઇંધણનો બગાડ થાય છે. જો તમારે 30 સેકન્ડ કે તેથી વધુ સમય માટે રોકવું પડે, તો એન્જિન બંધ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટાયરમાં યોગ્ય હવા રાખો, તે માઈલેજ વધારે છે.
  • સમયસર કારનું સર્વિસિંગ, એન્જિન ઓઈલ બદલાવો.
  • સમાન ગતિએ ડ્રાઈવિંગ, અચાનક બ્રેક ટાળો.
  • બિનજરૂરી વજન કાઢો, લાંબા ટ્રાફિકમાં એન્જિન બંધ કરો.

Car Mileage Tips: આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે સામાન્ય લોકોના ખિસ્સા પર મોટી અસર કરી છે. એવામાં દરેક કાર માલિક ઈચ્છે છે કે તેની ગાડી સારી માઈલેજ આપે, જેથી ફ્યુઅલ પર ઓછો ખર્ચ થાય. ઘણા લોકો વિચારે છે કે માત્ર જૂની કારો જ વધુ પેટ્રોલ પીવે છે, પરંતુ સત્ય એ છે કે ઘણીવાર આપણી નાની-નાની ભૂલો જ કારનો ફ્યુઅલ વપરાશ વધારી દે છે. જો યોગ્ય રીતે ડ્રાઈવિંગ અને કારની સંભાળ લેવામાં આવે તો માઈલેજ ઘણું ખરું સુધારી શકાય છે.

 

સૌથી મોટી ભૂલ ટાયરોમાં યોગ્ય હવા ન રાખવી તે છે. જો ટાયરમાં હવા ઓછી હોય તો ગાડી રોડ પર વધુ દબાણ સાથે ચાલે છે. આનાથી એન્જિનને વધુ મહેનત કરવી પડે છે અને પેટ્રોલ વધુ વપરાય છે. તેથી એક્સપર્ટ્સ સલાહ આપે છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર ટાયર પ્રેશર ચોક્કસ ચેક કરો અને કંપની દ્વારા સૂચવવામાં આવેલા લેવલ પર જ હવા ભરાવો. સાચું ટાયર પ્રેશર માત્ર માઈલેજ જ નથી વધારતું, પણ ટાયરનું આયુષ્ય પણ વધારે છે.

આ પણ વાંચો...  માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Tata Sierra EV: AWD સિસ્ટમ સાથે મળશે 500 KM ની રેન્જ

આ ભૂલોને નજરઅંદાજ ન કરો

બીજી મોટી ભૂલ સમયસર સર્વિસિંગ ન કરાવવી તે છે. ઘણા લોકો એન્જિન ઓઈલ અને એર ફિલ્ટરને લાંબા સમય સુધી બદલતા નથી, જેનાથી એન્જિનની ક્ષમતા ઘટવા લાગે છે. ગંદુ એર ફિલ્ટર એન્જિન સુધી પૂરતી હવા પહોંચવા દેતું નથી અને એન્જિન વધુ ફ્યુઅલ બાળવા લાગે છે. તેથી સમયાંતરે એન્જિન ઓઈલ, એર ફિલ્ટર અને ઓઈલ ફિલ્ટર બદલાવવું જરૂરી માનવામાં આવે છે. નિયમિત સર્વિસિંગથી કાર સ્મૂધ ચાલે છે અને માઈલેજ પણ સારું મળે છે.

ત્રીજી ભૂલ ખોટી રીતે ડ્રાઈવિંગ કરવું તે છે. ઘણા લોકો વારંવાર ઝડપથી એક્સિલરેશન આપે છે અને અચાનક બ્રેક લગાવે છે. આનાથી એન્જિન પર દબાણ વધે છે અને ફ્યુઅલનો વપરાશ વધુ થાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે કારને એક સમાન સ્પીડ પર ચલાવવી અને સ્મૂધ ડ્રાઈવિંગ કરવું એ માઈલેજ વધારવાનો સૌથી સરળ રસ્તો છે. Reddit પર પણ ઘણા ડ્રાઈવરોએ જણાવ્યું છે કે હળવા એક્સિલરેશન અને યોગ્ય ગિયરમાં ડ્રાઈવિંગ કરવાથી માઈલેજમાં નોંધપાત્ર સુધારો આવે છે.

આ ઉપરાંત ઘણા લોકો ડ્રાઈવિંગ દરમિયાન સતત ક્લચ પર પગ રાખીને ચાલે છે, જેને 'હાફ ક્લચ ડ્રાઈવિંગ' કહેવામાં આવે છે. આ આદત માત્ર કારના પાર્ટ્સને નુકસાન જ નથી પહોંચાડતી, પણ માઈલેજ પણ ઘટાડી દે છે. યોગ્ય સમયે ગિયર બદલવા અને એન્જિન પર ઓછું દબાણ રાખવું એ વધુ સારી ફ્યુઅલ એફિશિયન્સી માટે અત્યંત જરૂરી છે.

આ બાબતોનું પણ રાખો ધ્યાન

કારમાં બિનજરૂરી ભારે સામાન રાખવો એ પણ માઈલેજ ઘટાડવાનું મોટું કારણ બને છે. ઘણા લોકો પોતાની કારની ડિક્કીમાં જરૂર કરતા વધુ સામાન, ઓજારો કે બેગ રાખતા હોય છે. આનાથી કારનું વજન વધી જાય છે અને એન્જિનને વધુ તાકાત લગાવવી પડે છે. રિપોર્ટ્સ અનુસાર, વધારાનું વજન હોવાથી ફ્યુઅલનો વપરાશ વધી જાય છે. તેથી કારમાં માત્ર જરૂરી સામાન જ રાખવો વધુ હિતાવહ છે.

ટ્રાફિક સિગ્નલ કે લાંબા જામમાં એન્જિન ચાલુ રાખવું એ પણ ફ્યુઅલનો બગાડ કરે છે. જો તમારે 30 સેકન્ડ કે તેથી વધુ સમય સુધી ઉભા રહેવું પડે તેમ હોય તો એન્જિન બંધ કરી દેવું વધુ સારું માનવામાં આવે છે. આનાથી પેટ્રોલની બચત થાય છે અને માઈલેજ પર પણ સારી અસર પડે છે. અનેક ઓટો એક્સપર્ટ્સ અને ડ્રાઈવિંગ કોમ્યુનિટી પણ આ જ સલાહ આપે છે.

Frequently Asked Questions

કારનું માઇલેજ સુધારવા માટે ટાયરમાં શું ધ્યાન રાખવું જોઈએ?

ટાયરમાં યોગ્ય પ્રમાણમાં હવા રાખવી ખૂબ જ જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર ટાયર પ્રેશર ચેક કરો અને કંપની દ્વારા સૂચવેલ લેવલ મુજબ જ હવા ભરાવો.

કારનું માઇલેજ વધારવા માટે નિયમિત સર્વિસિંગ કેટલું મહત્વનું છે?

સમયસર એન્જિન ઓઈલ અને એર ફિલ્ટર બદલવાથી એન્જિનની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. નિયમિત સર્વિસિંગ કારને સ્મૂધ ચલાવે છે અને માઇલેજ સુધારે છે.

ખોટી રીતે ડ્રાઇવિંગ કરવાથી માઇલેજ પર કેવી અસર થાય છે?

વારંવાર ઝડપી એક્સિલરેશન અને અચાનક બ્રેક મારવાથી એન્જિન પર દબાણ વધે છે અને ફ્યુઅલનો વપરાશ વધે છે. કારને એક સમાન ગતિએ સ્મૂધ ચલાવવી જોઈએ.

કારમાં બિનજરૂરી ભારે સામાન રાખવાથી માઇલેજ પર શું અસર થાય છે?

કારમાં વધારે વજન હોવાથી એન્જિનને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે ફ્યુઅલનો વપરાશ વધે છે. તેથી કારમાં ફક્ત જરૂરી સામાન જ રાખવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેશની સૌથી સસ્તી હાઈબ્રિડ કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, ખરીદી કરતા પહેલા જાણી લો ડિટેલ 
દેશની સૌથી સસ્તી હાઈબ્રિડ કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ, ખરીદી કરતા પહેલા જાણી લો ડિટેલ 
નિસાન ધમાકો કરવા તૈયાર: માત્ર ₹10 લાખમાં લોન્ચ થશે 'બેબી પેટ્રોલ' SUV નિસાન ટેકટન
નિસાન ધમાકો કરવા તૈયાર: માત્ર ₹10 લાખમાં લોન્ચ થશે 'બેબી પેટ્રોલ' SUV નિસાન ટેકટન
આ છે ટચસ્ક્રીન વાળા 5 સસ્તા સ્કૂટર, જાણો લિસ્ટમાં કયા-કયા નામ છે સામેલ? જુઓ લીસ્ટ
આ છે ટચસ્ક્રીન વાળા 5 સસ્તા સ્કૂટર, જાણો લિસ્ટમાં કયા-કયા નામ છે સામેલ? જુઓ લીસ્ટ
રોજ ઓફિસ જવા માટે બેસ્ટ છે આ 5 કારો, માઇલેજ અને સેફ્ટીમાં પણ છે અવ્વલ
રોજ ઓફિસ જવા માટે બેસ્ટ છે આ 5 કારો, માઇલેજ અને સેફ્ટીમાં પણ છે અવ્વલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget