શોધખોળ કરો

શું E20 પેટ્રોલથી તમારી ગાડીની માઇલેજ ઘટી રહી છે? જાણો શું છે હકીકત?

e20 petrol mileage drop test: E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ હોય છે; માઇલેજ ઘટવા પાછળ માત્ર ઇંધણ નહીં, વાહનની કન્ડિશન પણ છે જવાબદાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • E20 પેટ્રોલથી માઇલેજ ઘટવાની ચર્ચા વાહનચાલકોમાં છે.
  • E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રિત, આયાત ઘટાડવા.
  • ઇથેનોલની ઉર્જા ઓછી, માઇલેજમાં નજીવો ઘટાડો શક્ય.
  • ડ્રાઇવિંગ શૈલી, ટાયર પ્રેશર માઇલેજ પર વધુ અસર કરે.

e20 petrol mileage drop test: દેશભરના પેટ્રોલ પંપો પર આજકાલ E20 પેટ્રોલ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ ગયું છે. જ્યારથી આ પેટ્રોલનો ઉપયોગ વધ્યો છે, ત્યારથી વાહનચાલકોમાં એવી ચર્ચા જાગી છે કે આ નવું પેટ્રોલ કાર કે બાઇકનું માઇલેજ ઘટાડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ વારંવાર આવા દાવાઓ થઈ રહ્યા છે, પણ શું ખરેખર E20 પેટ્રોલથી તમારી ગાડી વધુ પેટ્રોલ પી રહી છે કે પછી આ માત્ર એક ગેરસમજ છે? નિષ્ણાતોનું માનીએ તો, માઇલેજમાં થોડો ફરક પડી શકે છે, પરંતુ તે ઘટાડા પાછળ માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ ટાયરનું પ્રેશર અને તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલ જેવા બીજા ઘણા પરિબળો જવાબદાર હોય છે. ચાલો જાણીએ E20 ઇંધણનું પૂરું સત્ય.

શું છે E20 પેટ્રોલ?

સૌથી પહેલા તો એ સમજી લઈએ કે આ E20 પેટ્રોલ આખરે છે શું. સાદી ભાષામાં કહીએ તો, આ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા સામાન્ય પેટ્રોલનું મિશ્રણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર વિદેશથી આયાત થતા ક્રૂડ ઓઈલ પરની આપણી નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને શુદ્ધ રાખવાના હેતુથી આ ઇંધણને ઝડપથી પ્રમોટ કરી રહી છે.

માઇલેજ પર ખરેખર કેટલી અસર પડે છે?

હવે મૂળ વાત પર આવીએ કે શું આનાથી માઇલેજ પર અસર થાય છે ખરી? નિષ્ણાતો જણાવે છે કે, સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલની ઉર્જા ક્ષમતા થોડી ઓછી હોય છે. બસ આ જ કારણસર E20 પેટ્રોલ વાપરવાથી વાહનના માઇલેજમાં મામૂલી ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ ફરક એટલો મોટો નથી હોતો કે વાહન માલિકના ખિસ્સા પર કોઈ મોટો આર્થિક બોજ પડે. વળી, આજકાલ માર્કેટમાં જે નવી પેઢીની કાર અને બાઇક આવી રહ્યા છે, તેના એન્જિન ખાસ આ E20 ઇંધણને અનુકૂળ રહે તે રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે, જેથી તેમાં માઇલેજ પર નહિવત અસર પડે છે.

આ પણ વાંચોઃ Tata Sierra EV: સિંગલ ચાર્જમાં 500 કિમી દોડશે, લુક અને ફીચર્સ જોઈને થઈ જશો ફિદા

માત્ર પેટ્રોલનો વાંક કાઢવો ખોટો છે

આપણામાંથી ઘણા લોકો એવા છે જેઓ ગાડીનું માઇલેજ ઘટે એટલે સીધો દોષ E20 પેટ્રોલ પર ઢોળી દે છે. પણ વાસ્તવિકતા એ છે કે માઇલેજ બીજા અનેક પરિબળો પર આધાર રાખે છે. ઘણીવાર લોકો ભારે ટ્રાફિકમાં ગાડી ચલાવતા હોય, ટાયરમાં હવાનું પ્રેશર ખોટું હોય, વાહનની સર્વિસ સમયસર ન કરાવી હોય અથવા તો આક્રમક (રફ) ડ્રાઇવિંગ કરતા હોય, જેના લીધે ગાડી પેટ્રોલ વધુ પીવે છે. આથી, માઇલેજ ઘટવા પાછળ માત્ર E20 પેટ્રોલને જ જવાબદાર ઠેરવવું બિલકુલ ખોટું છે. વાહનની સારી જાળવણી અને સાચી રીતે ડ્રાઇવિંગ કરવાની આદત તમને સારામાં સારું માઇલેજ આપી શકે છે.

આ પણ વાંચોઃ સિંગલ ચાર્જમાં 680 કિમી સુધી દોડશે આ ઇલેક્ટ્રિક કાર્સ, ખરીદતા પહેલા ચેક કરો લિસ્ટ

Frequently Asked Questions

E20 પેટ્રોલ શું છે?

E20 પેટ્રોલ એ 20 ટકા ઇથેનોલ અને 80 ટકા સામાન્ય પેટ્રોલનું મિશ્રણ છે. કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણ શુદ્ધ રાખવાના હેતુથી તેને પ્રોત્સાહન આપી રહી છે.

શું E20 પેટ્રોલ વાપરવાથી ગાડીના માઇલેજમાં ઘટાડો થાય છે?

નિષ્ણાતોના મતે, ઇથેનોલની ઓછી ઉર્જા ક્ષમતાને કારણે E20 પેટ્રોલથી માઇલેજમાં મામૂલી ઘટાડો થઈ શકે છે. જોકે, આ ફરક એટલો મોટો નથી હોતો કે વાહન માલિકને મોટો આર્થિક બોજ પડે.

માઇલેજ ઘટાડવા માટે E20 પેટ્રોલ સિવાય કયા પરિબળો જવાબદાર છે?

માઇલેજ ઘટાડવા માટે ભારે ટ્રાફિક, ખોટું ટાયર પ્રેશર, સમયસર સર્વિસ ન કરાવવી અથવા આક્રમક ડ્રાઇવિંગ જેવી બાબતો પણ જવાબદાર હોય છે. માત્ર E20 પેટ્રોલને દોષ દેવો ખોટો છે.

શું નવી પેઢીના વાહનો E20 પેટ્રોલ માટે અનુકૂળ હોય છે?

હા, આજકાલ માર્કેટમાં આવતી નવી પેઢીની કાર અને બાઇકના એન્જિન ખાસ E20 ઇંધણને અનુકૂળ રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. આથી, તેમાં માઇલેજ પર નહિવત અસર પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Top Car Features India: એન્જિન નહીં હવે કાર ખરીદતા પહેલા આ 5 ફીચર્સ સૌથી વધુ જુએ છે ભારતીયો
Top Car Features India: એન્જિન નહીં હવે કાર ખરીદતા પહેલા આ 5 ફીચર્સ સૌથી વધુ જુએ છે ભારતીયો
પેટ્રોલ કેટલું એથનોલ મિશ્રિત છે? આ સરળ રીતોથી જાતે જ કરો તપાસ, નહીં તો એન્જિનને થઈ શકે નુકસાન
પેટ્રોલ કેટલું એથનોલ મિશ્રિત છે? આ સરળ રીતોથી જાતે જ કરો તપાસ, નહીં તો એન્જિનને થઈ શકે નુકસાન
Flex Fuel: કેવી રીતે કામ કરે છે ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજી, શું આ CNG થી પણ ઓછું કરે છે પ્રદૂષણ ?
Flex Fuel: કેવી રીતે કામ કરે છે ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજી, શું આ CNG થી પણ ઓછું કરે છે પ્રદૂષણ ?
વરસાદમાં કારની અંદર પાણી ભરાઈ ગયું? ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો થશે લાખોનું નુકસાન
વરસાદમાં કારની અંદર પાણી ભરાઈ ગયું? ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો થશે લાખોનું નુકસાન
Advertisement

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget