શોધખોળ કરો

શું E20 પેટ્રોલથી તમારી ગાડીની માઇલેજ ઘટી રહી છે? જાણો શું છે હકીકત?

e20 petrol mileage drop test: E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ હોય છે; માઇલેજ ઘટવા પાછળ માત્ર ઇંધણ નહીં, વાહનની કન્ડિશન પણ છે જવાબદાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • E20 પેટ્રોલથી માઇલેજ ઘટવાની ચર્ચા વાહનચાલકોમાં છે.
  • E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રિત, આયાત ઘટાડવા.
  • ઇથેનોલની ઉર્જા ઓછી, માઇલેજમાં નજીવો ઘટાડો શક્ય.
  • ડ્રાઇવિંગ શૈલી, ટાયર પ્રેશર માઇલેજ પર વધુ અસર કરે.

e20 petrol mileage drop test: દેશભરના પેટ્રોલ પંપો પર આજકાલ E20 પેટ્રોલ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ ગયું છે. જ્યારથી આ પેટ્રોલનો ઉપયોગ વધ્યો છે, ત્યારથી વાહનચાલકોમાં એવી ચર્ચા જાગી છે કે આ નવું પેટ્રોલ કાર કે બાઇકનું માઇલેજ ઘટાડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ વારંવાર આવા દાવાઓ થઈ રહ્યા છે, પણ શું ખરેખર E20 પેટ્રોલથી તમારી ગાડી વધુ પેટ્રોલ પી રહી છે કે પછી આ માત્ર એક ગેરસમજ છે? નિષ્ણાતોનું માનીએ તો, માઇલેજમાં થોડો ફરક પડી શકે છે, પરંતુ તે ઘટાડા પાછળ માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ ટાયરનું પ્રેશર અને તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલ જેવા બીજા ઘણા પરિબળો જવાબદાર હોય છે. ચાલો જાણીએ E20 ઇંધણનું પૂરું સત્ય.

શું છે E20 પેટ્રોલ?

સૌથી પહેલા તો એ સમજી લઈએ કે આ E20 પેટ્રોલ આખરે છે શું. સાદી ભાષામાં કહીએ તો, આ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા સામાન્ય પેટ્રોલનું મિશ્રણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર વિદેશથી આયાત થતા ક્રૂડ ઓઈલ પરની આપણી નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને શુદ્ધ રાખવાના હેતુથી આ ઇંધણને ઝડપથી પ્રમોટ કરી રહી છે.

માઇલેજ પર ખરેખર કેટલી અસર પડે છે?

હવે મૂળ વાત પર આવીએ કે શું આનાથી માઇલેજ પર અસર થાય છે ખરી? નિષ્ણાતો જણાવે છે કે, સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલની ઉર્જા ક્ષમતા થોડી ઓછી હોય છે. બસ આ જ કારણસર E20 પેટ્રોલ વાપરવાથી વાહનના માઇલેજમાં મામૂલી ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ ફરક એટલો મોટો નથી હોતો કે વાહન માલિકના ખિસ્સા પર કોઈ મોટો આર્થિક બોજ પડે. વળી, આજકાલ માર્કેટમાં જે નવી પેઢીની કાર અને બાઇક આવી રહ્યા છે, તેના એન્જિન ખાસ આ E20 ઇંધણને અનુકૂળ રહે તે રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે, જેથી તેમાં માઇલેજ પર નહિવત અસર પડે છે.

આ પણ વાંચોઃ Tata Sierra EV: સિંગલ ચાર્જમાં 500 કિમી દોડશે, લુક અને ફીચર્સ જોઈને થઈ જશો ફિદા

માત્ર પેટ્રોલનો વાંક કાઢવો ખોટો છે

આપણામાંથી ઘણા લોકો એવા છે જેઓ ગાડીનું માઇલેજ ઘટે એટલે સીધો દોષ E20 પેટ્રોલ પર ઢોળી દે છે. પણ વાસ્તવિકતા એ છે કે માઇલેજ બીજા અનેક પરિબળો પર આધાર રાખે છે. ઘણીવાર લોકો ભારે ટ્રાફિકમાં ગાડી ચલાવતા હોય, ટાયરમાં હવાનું પ્રેશર ખોટું હોય, વાહનની સર્વિસ સમયસર ન કરાવી હોય અથવા તો આક્રમક (રફ) ડ્રાઇવિંગ કરતા હોય, જેના લીધે ગાડી પેટ્રોલ વધુ પીવે છે. આથી, માઇલેજ ઘટવા પાછળ માત્ર E20 પેટ્રોલને જ જવાબદાર ઠેરવવું બિલકુલ ખોટું છે. વાહનની સારી જાળવણી અને સાચી રીતે ડ્રાઇવિંગ કરવાની આદત તમને સારામાં સારું માઇલેજ આપી શકે છે.

આ પણ વાંચોઃ સિંગલ ચાર્જમાં 680 કિમી સુધી દોડશે આ ઇલેક્ટ્રિક કાર્સ, ખરીદતા પહેલા ચેક કરો લિસ્ટ

Frequently Asked Questions

E20 પેટ્રોલ શું છે?

E20 પેટ્રોલ એ 20 ટકા ઇથેનોલ અને 80 ટકા સામાન્ય પેટ્રોલનું મિશ્રણ છે. કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણ શુદ્ધ રાખવાના હેતુથી તેને પ્રોત્સાહન આપી રહી છે.

શું E20 પેટ્રોલ વાપરવાથી ગાડીના માઇલેજમાં ઘટાડો થાય છે?

નિષ્ણાતોના મતે, ઇથેનોલની ઓછી ઉર્જા ક્ષમતાને કારણે E20 પેટ્રોલથી માઇલેજમાં મામૂલી ઘટાડો થઈ શકે છે. જોકે, આ ફરક એટલો મોટો નથી હોતો કે વાહન માલિકને મોટો આર્થિક બોજ પડે.

માઇલેજ ઘટાડવા માટે E20 પેટ્રોલ સિવાય કયા પરિબળો જવાબદાર છે?

માઇલેજ ઘટાડવા માટે ભારે ટ્રાફિક, ખોટું ટાયર પ્રેશર, સમયસર સર્વિસ ન કરાવવી અથવા આક્રમક ડ્રાઇવિંગ જેવી બાબતો પણ જવાબદાર હોય છે. માત્ર E20 પેટ્રોલને દોષ દેવો ખોટો છે.

શું નવી પેઢીના વાહનો E20 પેટ્રોલ માટે અનુકૂળ હોય છે?

હા, આજકાલ માર્કેટમાં આવતી નવી પેઢીની કાર અને બાઇકના એન્જિન ખાસ E20 ઇંધણને અનુકૂળ રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. આથી, તેમાં માઇલેજ પર નહિવત અસર પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
10 લાખ ઓછી કિંમતમાં Mahindra લોન્ચ કરી શકે છે 'બેબી સ્કોર્પિયો', જાણો તેના ફીચર્સ
10 લાખ ઓછી કિંમતમાં Mahindra લોન્ચ કરી શકે છે 'બેબી સ્કોર્પિયો', જાણો તેના ફીચર્સ
ફુલ ચાર્જ પર 320 KM ની રેન્જ, આવી ગઈ 7 લાખથી ઓછી કિંમતની નવી EV; જાણો તેના ફીચર્સ
ફુલ ચાર્જ પર 320 KM ની રેન્જ, આવી ગઈ 7 લાખથી ઓછી કિંમતની નવી EV; જાણો તેના ફીચર્સ
ન ડ્રાઇવિંગ લાઇસન્સની જરુર ન તો રજીસ્ટ્રેશનની માથાકુટ, 70 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયું દમદાર ફીચર્સવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર
ન ડ્રાઇવિંગ લાઇસન્સની જરુર ન તો રજીસ્ટ્રેશનની માથાકુટ, 70 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયું દમદાર ફીચર્સવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: મેરેજ બ્યૂરોના માધ્યમથી લવ જેહાદ
Hun To Bolish : હું તો બોલીશ: અલનીનો સામે સરકાર કેટલી તૈયાર?
Gujarat Rain News : ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Rajkot Rain: અસહ્ય ગરમી બાદ રાજકોટના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Rajkot Rain: અસહ્ય ગરમી બાદ રાજકોટના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Jharkhand Rajya Sabha Results: પરિમલ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
Jharkhand Rajya Sabha Results: પરિમલ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
Weather Update: દેશમાં કાલે ભારે પવન અને કરા સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશમાં કાલે ભારે પવન અને કરા સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
Confirm Train Ticket: રેલવે TTE એ જણાવી તત્કાલ કન્ફર્મ ટિકિટ બુક કરવાની જાદુઈ ટ્રિક, જાણી લો 
Confirm Train Ticket: રેલવે TTE એ જણાવી તત્કાલ કન્ફર્મ ટિકિટ બુક કરવાની જાદુઈ ટ્રિક, જાણી લો 
EPF Interest Rate: નોકરીયાત લોકો માટે સારા સમાચાર, સરકારે 8.25% વ્યાજ દરને આપી મંજૂરી 
EPF Interest Rate: નોકરીયાત લોકો માટે સારા સમાચાર, સરકારે 8.25% વ્યાજ દરને આપી મંજૂરી 
Embed widget