શોધખોળ કરો
નોટબંધીની વચ્ચે જેટલીએ આપ્યા ટેક્સમાં રાહતના સંકેત, EMI પણ ઘટશે
1/4

આરબીઆઈ હવે નવી નોટનું ટ્રેકિંગ કરશે: મોટા પાયે બ્લેક મની બદલવાની ઘટનાઓ સામે આરબીઆઈ કડક બની છે. તમામ બેન્કોને કરન્સી ચેસ્ટથી નીકળેલી નવી નોટોની મૂવમેન્ટ ટ્રેક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેની રિપોર્ટિંગ સિસ્ટમ તૈયાર કરવા કહેવાયું છે. બેન્ક હવે ઇશ્યૂ થનારી નવી નોટોનું વિવરણ પણ રાખશે. બેન્કોએ 8 નવેમ્બર થી 30 ડિસેમ્બર સુધી બ્રાન્ચ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફુટેજ પણ સંભાળીને રાખવા પડશે.
2/4

જેટલીએ બ્લેક મની જમા કરાવનારાં લોકોને પણ ચેતવણી આપી છે. કહ્યું, તપાસ એજન્સીઓની નજર રોકડ જમા કરાવનારાં લોકો સામે છે. બેન્કોમાં આવેલી રોકડનો હિસાબ થશે. જેની પર ટેક્સ નથી અપાયો તેની પર હવે વસૂલાશે. તેમણે કહ્યું હતું કે, જીએસટી અને નક્કી મર્યાદાથી વધારે ખર્ચ માટે પાન જરૂરી કરવા પર ચોરી અને ભ્રષઅટાચાર ઘટશે. નાણા મંત્રીએ કહ્યું, કેટલાક લોકોએ ગેરકાયદે રીતે મોટા પ્રમાણમાં રોકડ જમા કરી લીધી છે. તેવા લોકો સિસ્ટમને નુકશાન પહોંચાડી રહ્યા છે. તેમાં કેટલાક બેન્ક કર્મી પણ છે. તેમણે પોતાની કરતૂતોની કીમત ચૂકવવી પડશે.
Published at : 14 Dec 2016 07:41 AM (IST)
View More























