શોધખોળ કરો
28 ફેબ્રુઆરીએ બેંક કર્મચારી કરશે હડતાળ, સોમવારે જ પતાવી લો બેંકના તમામ કામ
1/4

યુનિયન દ્વારા કરવામાં આવેલી માગણીઓનો ઉકેલ લાવવાના તમામ પ્રયાસ નિષ્ફળતાને વર્યા હોવાને કારણે યુએફબીયુએ ૨૮ ફેબ્રુઆરીએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા શ્રમ કાયદામાં કરવામાં આવેલા સુધારાઓનો યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
2/4

શ્રમ ખાતાના કમિશનર સાથેની ૨૧મી ફેબ્રુઆરીની બેઠક મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી હતી કેમ કે ઈન્ડિયન બેન્ક એસોસિયેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા બેંક મેનેજમેન્ટે માગણીઓ સાથે સહમત થવાનું નકારી કાઢ્યું હતું અને શરતો પણ મૂકી હતી, એમ ઓલ ઈન્ડિયા બેક એમ્પલોઇઝ એસોસિયેશન (એઆઇબીઇએ)ના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
Published at : 27 Feb 2017 12:39 PM (IST)
View More























