શોધખોળ કરો
ટ્રાન્ઝેક્શન ચાર્જ અને વિવિધ ફીના નામે ગ્રાહકો સાથે બેંકોની ઉઘાડી લૂંટ, જાણો શું દલીલ કરે છે બેંકો
1/5

બેન્કોની મૂળ સમસ્યા તેમની વધતી જતી એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ છે. વિજય માલ્યા સહિતના બિઝનેસમેને જંગી લોન લઈને બેન્કોને દેવાના ડુંગર હેઠળ દબાવી દીધી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટર સહિત બેન્કોની ૬.૧ લાખ કરોડ રૂપિયાની લોન પર ગ્રહણ લાગી ગયું છે.
2/5

બચત ખાતામાં રહેલી મૂડી પર અત્યાર સુધી ચાર ટકા વ્યાજ મળતું હતું, જે ઘટાડી દેવાયું છે. બેન્કો આ અંગે દલીલ કરે છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે ગ્રાહકો પાસેથી ચાર્જીઝ વસલૂવા પડી રહ્યા છે. બેન્કોને તેમનો વ્યાપ વધારવા માટે ખર્ચ થઈ રહ્યો છે અને હાલની જે બ્રાન્ચ છે તે ચલાવવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે દલીલ છે કે ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ આ ચાર્જ લેવાય છે. જોકે તેનો બોજ ગ્રાહકોએ વહન કરવો પડી રહ્યો છે.
Published at : 08 Aug 2017 07:36 AM (IST)
View More























