શોધખોળ કરો
નોટબંધી ભારે પડીઃ ભારતે સૌથી ઝડપી અર્થતંત્રનો દરજ્જો ગુમાવ્યો, Q4માં ગ્રોથ ઘટીને 6.1% થયો
1/5

સારા ચોમાસાના કારણે કૃષિ સેક્ટરે વૃદ્ધિમાં તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો. ગયા વર્ષમાં તેનો વૃદ્ધિદર ૦.૭ ટકા હતો જ્યારે ૨૦૧૬-’૧૭માં કૃષિ સેક્ટરમાં ૪.૯ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ચોથા ક્વાર્ટરમાં કૃષિ સેક્ટરનો જીવીએ ૫.૨ ટકા વધ્યો હતો જે ૨૦૧૫-’૧૬ના સમાન ગાળામાં ૧.૫ ટકા વધ્યો હતો. સરકારે બુધવારે જાહેર કરેલા ડેટા પ્રમાણે કોલસો, ક્રૂડ ઓઇલ અને સિમેન્ટના ઉત્પાદનમાં અનુક્રમે ૩.૮ ટકા, ૦.૬ ટકા અને ૩.૭ ટકાનો નેગેટિવ વૃદ્ધિદર નોંધાયો હતો. મુખ્ય સેક્ટરમાં ધીમી વૃદ્ધિના કારણે આઇઆઇપી પર પણ અસર પડશે કારણ કે કુલ ફેક્ટરી આઉટપુટમાં આ આઠ સેક્ટર ૩૮ ટકા હિસ્સો ધરાવે છે.
2/5

૨૦૧૬-’૧૭ના ત્રીજા તથા ચોથા ક્વાર્ટરમાં નોટબંધીથી જીવીએને અસર થઈ હોવાનું માનવામાં આવે છે. આ ગાળામાં જીવીએ અનુક્રમે ૭.૩ ટકા અને ૮.૭ ટકાથી ઘટીને ૬.૭ ટકા અને ૫.૬ ટકા થયો હતો. કૃષિને બાદ કરતાં લગભગ તમામ સેક્ટરમાં નોટબંધીના કારણે ઘટાડો થયો હતો. ચોથા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું આઉટપુટ ઘટીને ૫.૩ ટકા થયું હતું જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં તે ૧૨.૭ ટકા હતું.
Published at : 01 Jun 2017 08:20 AM (IST)
View More























