શોધખોળ કરો
ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
1/3

નવી દિલ્હીઃ IRCTCની વેબસાઈટ દ્વારા બુક કરાવવામાં આવતી ટ્રેન ટિકિટ ફરી મોંઘી થઈ શકે છે. રેલવે ફરી સરચાર્જ લગાવવાનું વિચારી શકે છે. જો કે આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ રેલ્વે એ બાબત ઉપર વિચાર કરે છે કે સરચાર્જ હટાવવાથી આવતા નાણાકીય વર્ષમાં થનારા નુકસાનની કઇ રીતે ભરપાઇ કરી શકાય.
2/3

આનુ એક કારણ એ છે કે સરચાર્જના સ્વરૂપમાં આઇઆરસીટીસીને વર્ષે લગભગ પપ૦ કરોડનું નુકસાન થશે. સુત્રોનુ કહેવુ છે કે, સરચાર્જ હટાવવા અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. રેલ્વેનો ઇરાદો છે કે નોટબંધી બાદ વધુને વધુ લોકોને ઓનલાઇન રેલ્વે ટિકિટ લેવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે. આ કવાયત હેઠળ જ આવુ એલાન કરવામાં આવ્યુ હતુ.
Published at : 25 Feb 2017 03:03 PM (IST)
View More























