Local Body Election Live :રાજકોટમાં ટિકિટને લઈને નારાજગી, ડેમેજ કંટ્રોલના પ્રયાસ, ભાજપ પ્રદેશ અઘ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક
Local Body Election Live :અમદાવાદના ધોળકામાં કાકી-ભત્રીજી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. કોઠ બેઠક પર ભત્રીજી સેજલ મકવાણાએ ભાજપમાંથી તો કાકી હેતલ મકવાણાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે
LIVE

Background
Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષે વિજય માટે કવાયત શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં , '15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાશે.' રાજ્યમાં 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેથી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યના એકમો મતદારોને પ્રભાવિત કરે, તેવી જાહેરાતો નહીં કરી શકે.છઠ્ઠી એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.11મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો ચૂંટણી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી દરેક પક્ષના ઉમેદવારે ફોર્મ ભરી દીધા છે. બે દિવસ પછી તેની એટલે કે 13મી એપ્રિલના તેની ચકાસણી હાથ ધરવામાં આવશે. 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાનું ફૉર્મ પરત ખેંચી શકશે.ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. મતદાન 26 એપ્રિલ, 2026ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે.
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ અટેકથી મૃત્યુ થતાં આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક માટે ભાજપ દ્વારા ગોવિંદ પરમાના જ પુત્ર હર્ષદ પરમાને ટિકિટ અપાઇ છે. મહત્ત્વનું છે કે, આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે.
રાજકોટમાં ટિકિટને લઈને ખેંચતાણ બાદ ડેમેજ કંટ્રોલના પ્રયાસો
રાજકોટમાં ટિકિટને લઈને ખેંચતાણ બાદ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટમાં છે. નારાજ નેતાઓ સાથે જગદીશ વિશ્વકર્મા બેઠક કરી શકે છે. બહુમાળી ચોકમાં જનસંપર્ક સભાનું આયોજન કરાયું છે. સભા યોજ્યા બાદ જગદીશ વિશ્વકર્મા બેઠક કરી શકે છે. ટિકિટ મુદ્દે ઘણા નેતાઓ નારાજ હોવાની ચર્ચા છે. વોર્ડ નંબર 3 અને 13માં ટિકિટને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નં.7માં શૈલેશ જાનીના સ્થાને નેહલ શુક્લને ટિકિટ અપાઈ છે. પૂર્વ કોર્પોરેટર,પૂર્વ મંત્રીએ પરિવાર માટે ટિકિટ માગી હતી. કેટલાક સમાજના આગેવાનો સાથે વિશ્વકર્મા બેઠક યોજી શકે છે.
રાજકોટમાં ટિકિટને લઈને ખેંચતાણ બાદ ડેમેજ કંટ્રોલના પ્રયાસો
સુરત મનપાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈ નારાજગી સર્જાઇ છે. ટિકિટ ન મળતા શહેર ભાજપ મંત્રી બિપિન પટેલે નારાજગી વ્યક્ત કરી છે. સોશલ મીડિયા પર જાતિવાદને વંદન લખીને ઠાલવ્યો રોષ





















