શોધખોળ કરો
ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર રાહત આપવાનો સરકારનો ઇનકાર, જાણો શું કહ્યું....
1/4

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝળના ભડકે બળતા ભાવથી લોકોને રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ, ડીઝલના વધતા ભાવથી ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની તમામ અટકળોને નકારી કાઢી છે. સરકારના એક ટોચના અધિકારીએ કહ્યું છે કે, એક્સાઈઝમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.
2/4

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાત મોંઘી થઈ રહી છે. સરકારનું માનવું છે કે, ભાવ ઘટાડાથી ચાલુ ખાતાની ખોટ ટાર્ગેટથી વધી જશે માટે સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી રાજકોષીય ગણિત સાથે છેડછાડ કરવા નથી માગતી.
Published at : 05 Sep 2018 10:02 AM (IST)
View More





















