શોધખોળ કરો
સરકારે નાની બચત યોજનાના વ્યાદરમાં 0.1 ટકાનો કર્યો ઘટાડો, જાણો હવે કેટલું મળશે વ્યાજ
1/4

સરકાર દ્વારા નાની બચત યોજવનામાં વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ હવે સુકન્યા સૃદ્ધિ યોજનામાં 8.6ની જગ્યાએ 8.5 ટકા, કિસાન વિકાસ પત્રમાં 7.8ની જગ્યાએ 7.7, પીપીએફમાં 8.1ની જગ્યાએ 8.0, એનએસસીમાં 8.1ની જગ્યાએ 8.0, મંથલી ઇનકમ એકાઉન્ટ સ્કીમાં 7.8ની જગ્યાએ 7.7, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.6ની જગ્યાએ 8.5 ટકા વ્યાજ દર રહેશે. જ્યારે બચત ખાતા પર પહેલાની જેમ જ 4 ટકાના દરે વ્યાજ મળશે.
2/4

સરકાર દર 3 મહિને નાની બચત યોજનાઓની સમીક્ષા કરે છે અને તેને આધારે તેના વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સરકારે સ્મોલ સેવિંગ સ્કીમને માર્કેટ સાથે લિંક કરી દીધી છે. કહેવાય છે કે, વિતેલા ત્રણ મહિનામાં સરકારી સિક્યોરિટીઝ પર માર્કેટનું વળતર ઘટ્યું છે, ત્યાર બાદ સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિતેલા કેટલાક મહિનાથી બોન્ડ યીલ્ડમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે સરકાર વ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારીમાં હતી. નાણાં મંત્રાલય એ સુનિશ્ચિત કરે છે કે તેના દ્વારા ચૂકવણી આવકથી વધારે ન હોય.
Published at : 30 Sep 2016 12:47 PM (IST)
View More




















