શોધખોળ કરો
આ એક ભૂલ કરવા પર જિઓ બંધ કરી શકે છે તમારી ફ્રી વોઈસ કોલિંગ સેવા...
1/3

નવી દિલ્હીઃ જો તમે રિલાયન્સ જિઓના ગ્રાહકો છો તો જરૂરી નથી કે કંપની તમારી ફ્રી વોઈસ કોલિંગની જે સુવિધા આપી રહી છે તેને કોઈપણ રોકટોક વગર આપતી જ રહે. જો તમે જિઓની ફ્રી વોઈસ કોલિંગ સેવાનો દુરુપયોગ કરો છો તો કંપની પાસે અધિકાર છે કે તે તમારી આ સેવાને બંધ કરી શકે છે. જિઓની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર તેની પાસે સેવા બંધ કરવાના પૂરા અધિકાર છે.
2/3

ઉલ્લેખનીયછે કે, કંપનીને ફરિયાદ મળી રહી હતી કે કેટલાક લોકો જિઓની ફ્રી વોઈસ કોલિંગનો ઉપયોગ કોમર્શિયલ યૂઝ માટે કરી રહ્યા છે અને ટેલિમાર્કેટિંગ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ અથવા સેવાનું વેચાણ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા હાલમાં જ કંપનીએ જિઓની ફ્રી વોઈસ કોલિંગ દૈનિક 300 મિનિટ અથવા 5 કલાક કરી દીધી છે. પરંતુ ત્યાર બાદ પણ જો કંપની આ સેવાનો દુરુપયોગ થતો રહે છે તો દુરુપયોગ કરનાર ગ્રાહકની ફ્રી વોઈસ કોલિંગની સેવા બંધ પણ કરી શકે છે.
Published at : 10 Oct 2017 07:41 AM (IST)
Tags :
Reliance JioView More






















