શોધખોળ કરો
Reliance Jio ગ્રાહકો માટે આજે અનેક મોટી જાહેરાત કરશે મુકેશ અંબાણી, જાણો શું છે પ્લાન!
1/5

ભારતી એન્ટ્રપ્રાઈસેસના પ્રમુખ સુનીલ મિત્તલે કહ્યું હતું કે, જિયોની ફ્રી પ્રાઈસિંગ ખતરનાક છે અને તેનાથી ટેલિકોમ કંપનીઓનો બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જિયોની એન્ટ્રીથી પ્રભાવિત થયેલ ટેલિકોમ કંપનીઓ એક થઈને પડકાર ફેંકવાનો પ્રયત્ન કરી રહી છે. મોટી ટેલીકોમ કંપનીઓ વોડાફોન અને આઈડિયા મર્જરની નજીક છે જેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.
2/5

નવી દિલ્હીઃ Reliance Jioએ 170 દિવસમાં 10 કરોડ ગ્રાહક જોડીને નવે રેકોર્ડ નોંધાવ્યો છે. આ મોટી ઉપલબ્ધિ બાદ કહેવાય છે કે, મુકેશ અંબાણી આજે જિયોના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંબાણી જિયોમાં રોકાણ કરવાનું ચાલું રાખસે. અત્યાર સુધી કંપની 1.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કંપનીના બોર્ડે 30 હજાર કરોડનું ફંડ ઈશ્યૂ કર્યું હતું જે નેટવર્કને વધારવા અને કવરેજને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવાશે.
Published at : 21 Feb 2017 12:05 PM (IST)
View More























