રિઝર્વ બેંકે એ પણ કહ્યું કે, જો કોઈ નાના ખાતામાં અંદાજિત યોગ્ય વાર્ષિક એક લાખ રૂપિયાની જમાની મર્યાદા પણ જોવા મળશે તો માસિક 10 હજાર રૂપિયાના ઉપાડની મર્યાદાને જાળવી રાખવામાં આવશે. રિઝર્વ બેંકને જાણવા મળ્યું છે કે, કેટલાક કેસમાં કેવાયસી જોગવાઈને યોગ્ય રીતે અનુસરવામાં આવી નથી.
2/4
રિઝર્વ બેંકના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવા ખાતામાંથી ઉપાડ અખવા રકમ ટ્રાન્સફર પાન નંબર આપ્યા વગર અથવા ફોર્મ 60 (જે લોકો પાસે પાન નંબર નથી) આપ્યા વગર નહીં કરી શકાય.
3/4
કેવાઈસી અનુસરવામાં આવેલ હોય તેવા ખાતા જેમાં ગ્રાહકની તપાસની પ્રક્રિયા કરવામાં આવી હોય તેના સંદર્ભમાં રિઝર્વ બેંકે કહ્યું કે, એનબીએફસી એ સુનિશ્ચિત કરે કે તમામ લેવડ દેવડ માટે પાન અથવા ફોર્મ 60 લેવામાં આવે. આ અનિવાર્યતાને પૂર્ણ કર્યા વગર આવા ખાતામાંથી કોઈપણ પ્રકારના ઉપાડ કે ટ્રાન્સફર નહીં થઈ શકે.
4/4
મુંબઈઃ બેન્કિંગ ચેનલનો દુરૂપયોગ કરી પોતાની અઘોષિત રકમ જમા કરાવનાર લોકો પર ગાળિયો વધુ મજબૂત કરતાં રિઝર્વ બેંકે ગુરુવારે એવા બેંક ખાતામાંથી ઉપાડ પર નિયંત્રણ લગાવ્યા જેમાં પાંચ લાખ રૂપિયાથી વધારે રકમ જમા હોય અને આ ખાતામાં બે લાખ રૂપિયાથી વધારે રકમ 9 નવેમ્બર બાદ જમા કરવામાં આવી હોય.