નવી દિલ્હીઃ હાલમાં 100 અને 50 રૂપિયાની નોટ બંધ થઈ જવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટો લોકો 21 ઓક્ટોબર, 2017 સુધી બેંક એકાઉન્ટમાં જમા કરીને બદલી શકશે. 50 અને 200 રૂપિયાની નવી નોટો આવવાના કારણે આમ કરવામાં આવી રહ્યું છે. સરકારના કહેવા પર RBIએ આ જાહેરાત કરી છે. જોકે આ એક અફવાય છે જે પહેલા પણ વાયરલ થઈ હતી.
2/4
જો કોઈપણ નોટ બંધ કે નવી લાવવાની હોય તો એ પહેલા આરબીઆઈ તે માટેનું નોટિફિકેશન બહાર પાડે છે. હવે અત્યારે જે 50 અને 100ની નોટ બંધ થવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરબીઆઈની વેબસાઈટ પર આ અંગે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જે દર્શાવે છે કે આ એક ફેક મેસેજ છે.
3/4
જોકે આ પ્રાકરના મેસેજ પહેલા પણ વાયરલ થયા હતા ત્યારે સરકારે ટ્વિટરના માધ્યમથી તેને નકારી કાઢ્યા હતા અને કહ્યું તું કે સરકારની 50 અને 100 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
4/4
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે બુધવારે રાતે 12 વાગ્યાથી 50 અને 100ની તમામ નોટ બંધ કરી દેવામાં આવશે. જે નોટ બંધ થઈ રહી છે તેને તમારા જ એકાઉન્ટમાં 21 ઓક્ટોબર 2017 સુધી બદલી શકાશે. આ સાથે સંકળાયેલા બીજા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકારે RBIને 50-100 રૂપિયાની જૂની નોટો આજે મધરાતથી ન સ્વીકારવાનો આદેશ આપ્યો છે. 8 નવેમ્બરે થયેલી નોટબંધીની સફળતા બાદ સરકારે આ પગલું ભર્યું છે. લોકો 21 ઓક્ટોબર સુધી આ નોટો બદલાવી શકશે.