શોધખોળ કરો
1 એપ્રિલથી SBIમાં થશે આ 4 મોટા ફેરફાર, હવે આ સર્વિસ માટે ચૂકવવા પડશે વધારે પૈસા
1/8

ઉપરાંત એસબીઆઈના ગ્રાહકો એક મહિનામાં અન્ય બેંકના એટીએમમાથી ત્રણ વખતથી વધારે ટ્રાન્ઝેક્સન કરશે તો 20 રૂપિયા ચાર્જ આપવો પડશે. જ્યારે એસબીઆઈના એટીએમમાંથી પાંચ વખતથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર 10 રૂપિચા ચાર્જ આપવો પડશે. જોકે ખાતામાં 25,000 રૂપિયાથા વધારે રકમ જમા હોવા પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. અને ખાતામાં 1 લાખ રૂપિયા હોવા પર અન્ય બેંકના એટીએમમાંથી પણ અમર્યાદિત વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે. બેંક યૂપીઆઈ દ્વારા 1 હજાર રૂપિયા સુધીની લેવડ દેવડ પર કોઈ ચાર્જ નહીં લે.
2/8

એસબીઆઈના પૂર્વ સીજીએ સુનીલ પંતે અનુસાર, મોટાભાગની સર્વિસીસ ગ્રાહકો માટે પહેલા જેવી જ રહેશે. જ્યાં સુધી કેટલીક બેંકોની સ્પેશિયલ સ્કીમની વાત છે તો તેને લઈને નવી જોગવાઈ બેંકે કરવાની રહેશે. ઉપરાંત 5 બેંકોના એમસીએલઆર, એસબીઆઈથી અલગ છે. એવામાં આ બેંકના ગ્રાહકો માટે લોનના દર અલગ છે. એવામાં એસબીઆઈ પાસે બે વિકલ્પ છે. પ્રથમ એ કે એક એપ્રિલથી તે તમામના વ્યાજ દર રી સેટ કરે અથવા જ્યારે એમસીએલઆર રિન્યૂ કરવાનો સમય આવે ત્યારે એસબીઆઈ અનુસાર રેટ નક્કી થાય. આ જ પ્રકારની અસર ડિપોઝિટ રેટ્સ પર પણ પડશે.
Published at : 28 Mar 2017 02:05 PM (IST)
View More























