શોધખોળ કરો
31 ડિસેમ્બર બાદ બ્લોક થઈ જશે તમારું ATM કાર્ડ, શું તમે નવા કાર્ડ માટે અરજી કરી?
1/4

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના એક આદેશ અનુસાર તમારું એટીએમ કાર્ડ 1 જાન્યુઆરી 2019થી બેકાર થઈ જશે. આરબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડ ડિસેમ્બર 2018 સુધીમાં EMV ચિપવાળા કાર્ડમાં બદલવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ આ પગલું લેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર EMV ચીપ કાર્ડ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ કરતાં વધારે સુરક્ષિત છે અને તેમાં ફ્રોડ થવાનું જોખમ ઓછું છે.
2/4

બેંક દ્વારા ટ્વિટ કરાયેલ માહિતી અનુસાર, જૂના એટીએમ કાર્ડના બદલામાં ઇવીએમ ચિપ ડેબિટ કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે નવા કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ ઉપરાંત, બેંક શાખામાં પણ અરજી કરવાનો વિકલ્પ છે. બેંકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડને બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર, 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
Published at : 25 Dec 2018 08:14 AM (IST)
Tags :
Credit CardsView More





















