અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
આ દર્દનાક ઘટનાનો મૃતક બાબુ લાલ ઓરાઓંનો 16 વર્ષનો પુત્ર પોતે ચશ્મદીદ સાક્ષી છે.

Bihar witchcraft killing: બિહારના પૂર્ણિયા જિલ્લામાં અંધશ્રદ્ધા અને માનવતાને શરમસાર કરતી એક માનવતા શર્મસાર કરી દેનારી ઘટના સામે આવી છે. ડાકણ હોવાની શંકામાં એક મહિલા અને તેના પરિવારના ચાર અન્ય સભ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. આ ઘાતકી કૃત્ય મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજીગંજ પંચાયતના તેતગામા વોર્ડ નંબર 10 માં બન્યું હતું, જ્યાં બાબુ લાલ ઓરાઓં, તેમની પત્ની અને ત્રણ અન્ય લોકો રવિવાર રાતથી રહસ્યમય રીતે ગુમ હતા.
250 લોકોના ટોળાએ આચર્યો બર્બર ગુનો
પ્રાપ્ત અહેવાલ મુજબ, લગભગ 250 લોકોના ટોળાએ બાબુ લાલ ઓરાઓં, તેમની પત્ની અને ત્રણ અન્ય પરિવારજનોને ઘેરી લીધા હતા. તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને ત્યારબાદ જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. એટલું જ નહીં, આ ઘાતકી કૃત્ય બાદ હત્યારાઓએ મૃતદેહોને પણ ગાયબ કરી દીધા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એસપી સ્વીટી સહરાવત અને એએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મામલાની તપાસ ચાલી રહી છે.
पूर्णिया में एक ही परिवार के 5 लोगों को जिंदा जलाकर मार दिया।
DK Tax के कारण बिहार में अराजकता चरम पर, DGP/CS बेबस, कानून व्यवस्था ध्वस्त
परसों सिवान में 3 लोगों की नरसंहार में मौत।
विगत दिनों बक्सर में नरसंहार में 3 की मौत।
भोजपुर में नरसंहार में 3 की मौत।
अपराधी सतर्क,… — Tejashwi Yadav (@yadavtejashwi) July 7, 2025
16 વર્ષનો પુત્ર બન્યો ચશ્મદીદ સાક્ષી
આ દર્દનાક ઘટનાનો મૃતક બાબુ લાલ ઓરાઓંનો 16 વર્ષનો પુત્ર પોતે ચશ્મદીદ સાક્ષી છે. ઘટના બન્યા બાદ તે કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ભાગી ગયો અને તેની દાદીના ઘરે પહોંચ્યો. તેણે જે જોયું તે તેની દાદીને જણાવ્યું, ત્યારબાદ પરિવારે પોલીસને આ ઘટનાની જાણ કરી. એસપી સ્વીટી સહરાવત પ્રત્યક્ષદર્શી બાળક સાથે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
ઘટના બાદ ગામના બધા લોકો પોતાના ઘરેથી ભાગી ગયા છે અને આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. ગ્રામજનોના કહેવા મુજબ, ગામના કેટલાક લોકોને બાબુ લાલ ઓરાઓંની પત્ની પર ડાકણ હોવાની શંકા હતી, જેના પગલે રવિવારે મોડી રાત્રે આ ઘાતકી કૃત્યને અંજામ આપવામાં આવ્યો.
પોલીસે આ મામલે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની કડક પૂછપરછ કરી રહી છે. મૃતકોની ઓળખ 70 વર્ષીય મૌસમત કાટો દેવી, 50 વર્ષીય બાબુલાલ ઓરાંવ, 40 વર્ષીય સીતા દેવી, 25 વર્ષીય મનજીત કુમાર અને 20 વર્ષીય રાની દેવી તરીકે થઈ છે. આ ઘટના સમાજમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાના ભયાવહ પરિણામો દર્શાવે છે.























