શોધખોળ કરો

Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

Moradabad: નર્સના પિતાની ફરિયાદના આધારે પોલીસે ડોક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે

Moradabad: ઉત્તર પ્રદેશના મુરાદાબાદની AVM હોસ્પિટલમાં શનિવારે રાત્રે એક નર્સ સાથે બનેલી જઘન્ય ઘટનાથી લોકો હચમચી ગયા હતા. ડોક્ટર શાહનવાઝે એક નર્સને બંધક બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. આ કૃત્ય પછી નર્સે રવિવારે સવારે તેના પરિવારને આ દર્દનાક ઘટના વિશે જાણ કરી હતી. નર્સના પિતાની ફરિયાદના આધારે પોલીસે ડોક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપી વોર્ડ બોયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલારી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસીએ પોલીસને ફરિયાદ કરી કે તેમની 20 વર્ષની પુત્રી છેલ્લા 10 મહિનાથી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. શનિવારે સાંજે સાતેક વાગ્યે તેમની પુત્રી ફરજ માટે હોસ્પિટલમાં ગઈ હતી. આરોપ છે કે હોસ્પિટલમાં કામ કરતી એક નર્સે તેને છેતરીને કહ્યું કે ડોક્ટર શાહનવાઝે તેને પોતાના રૂમમાં બોલાવે છે.

જ્યારે પીડિતાએ ડોક્ટરના રૂમમાં જવાની ના પાડી તો વોર્ડ બોય જુનેદ અને મેહનાઝ તેને બળજબરીથી ડોક્ટરના રૂમમાં લઈ ગયા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. રાત્રે લગભગ 12 વાગે ડોક્ટરે નર્સને બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.  ડોક્ટરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડોક્ટરે નર્સનો મોબાઈલ પણ પોતાની પાસે રાખ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને આરોગ્ય વિભાગની તપાસ

રવિવારે સવારે જ્યારે હોસ્પિટલની હેડ નર્સ આવી ત્યારે પીડિતાએ તેને પોતાની આપવીતિ વર્ણવી હતી અને તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. પીડિતા ઘરે પહોંચી અને તેના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે ડોક્ટર શાહનવાઝ, મેહનાઝ અને જુનૈદ વિરુદ્ધ બળાત્કાર, એસસી/એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજીવ ચૌધરીએ જણાવ્યું કે પીડિતાનું નિવેદન હજુ સુધી નોંધવામાં આવ્યું નથી.

સીએમઓની સૂચના પર આરોગ્ય વિભાગની ટીમે પોલીસ સાથે રવિવારે સાંજે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. સીએચસી સુપરિન્ટેન્ડેન્ટે ડો.ઇન્તેખાબ આલમ, ફાર્માસિસ્ટ કમલ સિંહ રાવત અને આશુ ગુપ્તાની ટીમને હોસ્પિટલમાં મોકલી અને ત્યાં દાખલ દર્દીઓની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. હોસ્પિટલ સીલ કરવામાં આવશે તો દર્દીઓને ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે. હોસ્પિટલમાં નવ જેટલા દર્દીઓ દાખલ થયા હતા. સીઓ રાજેશ કુમારે જણાવ્યું કે આરોપી ડોક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. ડૉ. શાહનવાઝ પાસે BUMS ડિગ્રી હોવાનું કહેવાય છે. આ ઘટના હોસ્પિટલમાં બની રહેલી ગંભીર ઘટનાઓ તરફ ઈશારો કરે છે અને આ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget