શોધખોળ કરો

Junagadh: બેંક મેનેજર આપઘાત કેસમાં સુસાઈડ નોટ સામે આવી, જાણો શું થયો ખુલાસો

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ યુનિયન બેંકના મેનેજરે 2 ફેબ્રુઆરીના રોજ  ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બેંક મેનેજર આપઘાત કેસમાં સુસાઇડ નોટ  હવે વાયરલ થઈ છે.

જૂનાગઢ: જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ યુનિયન બેંકના મેનેજરે 2 ફેબ્રુઆરીના રોજ  ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બેંક મેનેજર આપઘાત કેસમાં સુસાઇડ નોટ  હવે વાયરલ થઈ છે. અધિકારીએ પોતાની સુસાઇડ નોટમાં ઓફિસ પોલિટિક્સનો ઉલ્લેખ કર્યો છે.આ ઉપરાંત તેમના મેનેજરના ચાર્જ સિવાય અન્ય બે વધારાના ચાર્જ સોંપાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે સુસાઇડ નોટના આધારે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે તેમની દિકરી અને પત્નીને પેન્શનનો લાભ મળે તેવો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે. પોલીસ પ્રતિક્રિયામા જણાવાયું હતું કે હાલ આ મામલે ઝીણવટપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે કોઈ કસૂરવાર સાબિત થશે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  મહત્વનું છે કે ગત 2 ફેબ્રુઆરીના રોજ યુનિયન બેંકના મેનેજરે બેંકમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. 

જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.   મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ જિંદગી ટૂંકાવી હતી. આ સમગ્ર ઘટનાને લઈ હાહાકાર મચી ગયો હતો. 

બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી

રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું. પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું એ સમયે જાણવા મળ્યું હતું. પરંતુ લાંબા સમય બાદ સુસાઈડ નોટ હવે સામે આવી છે.             

 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો, અમદાવાદ એરપોર્ટ પરથી યાત્રીની ધરપકડ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
Embed widget