શોધખોળ કરો

રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી

Rajkot News : પોલીસે આરોપીની ઓફિસે તપાસ કરતાં ત્યાંથી ‘બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી’ નામના સર્ટિફિકેટ મળી આવ્યા હતા.

RAJKOT : રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પહેલા ડિગ્રી સર્ટિફિકેટનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ડિગ્રી સર્ટિફિકેટ આપનાર જ્યંતીલાલ સુદાણી સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની ઓફિસે તપાસ કરતાં ત્યાંથી ‘બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી’ નામના સર્ટિફિકેટ મળી આવ્યા હતા. 

આ  બાબતે વધુ પૂછપરછ કરતા ખરેખર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી નામનું કોઈ બોર્ડ નહિ પરંતુ ટ્રસ્ટ હોવાનું સામે આવ્યું હતું.  જેથી ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સંડોવાયેલ જ્યંતીલાલ સુદાણી, જીતેન્દ્ર પીઠડીયા, પરેશ વ્યાસ, કેતન જોષી અને તનુજા સિંઘ  સામે ફરિયાદ નોંધી છે.

આ શખ્સોએ  દેશની અલગ અલગ 57 જેટલી શાળાઓને  કોઇ પણ જાતના સરકારી શિક્ષા વિભાગ, કે અન્ય સરકાર માન્ય કોઇ શૈક્ષણીક બોર્ડની માન્યતા મેળવ્યા વગર શાળાઓને એફીલેશન આપી બોર્ડ નીચે કાર્યરત કરવા લેટર કાઢી આપ્યા હતા. જો કે આ નામનું કોઈ બોર્ડ જ કાર્યરત ન હતું.

હાલ આ ચોંકાવનારી વિગતો સામે આવતા આ 57 સ્કૂલના નામ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ દેશવ્યાપી કૌભાંડ સામે આવતા આ 57 સ્કૂલોમાંથી 12માં ધોરણની પરીક્ષા પાસ કરી રિઝલ્ટ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ જોખમમાં મુકાયા છે.


છોટાઉદેપુર : જાનની કારને નડ્યો અકસ્માત
પાવીજેતપુરના બાર ગામ નજીક એક ગોજારો અકસ્માત સર્જાયો છે. લગ્ન વિધિ પતાવી જ્યારે જાન કન્યાને લઈને પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં રાઠવા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમા કારમાં સવાર વરરાજાના પિતાનું અવસાન થયું છે. આ કારમં ચાર વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં વરરાજાના પિતા જશવંતભાઈ સોમાભાઈ રાઠવાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે, જ્યારે અન્ય સવાર માનવ ભગવતનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત હાલ બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે કદવાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે બોડેલી સરકારી દવાખાને મોકલી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget