સુરતમાં રહીમ શેખ નામના એક મુસ્લિમ વકીલે 'રોહન' નામ ધારણ કરીને એક હિન્દુ મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
Surat crime news: હિન્દુ વકીલને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું, ન માનતા માર મારી અન્ય યુવતી સાથે નિકાહ કર્યા, ચોક બજાર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ.

- મુસ્લિમ વકીલે 'રોહન' નામથી હિન્દુ મહિલા વકીલને ફસાવી.
- ઓળખ છુપાવી, સિંદૂર ભરી, લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું.
- ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા માર માર્યો, જાતિવાચક ગાળો આપી.
- વરિષ્ઠ વકીલ અને પરિવાર પર પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ.
Surat crime news: સુરત શહેરમાં એક ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહીમ શેખ નામના એક મુસ્લિમ વકીલે પોતાની ઓળખ 'રોહન' તરીકે આપીને એક હિન્દુ મહિલા વકીલને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પીડિતાનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર પૂર્યું અને લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું અને ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે રહીમે તેને ઢોર માર મારી, જાતિવિષયક ગાળો આપી અને અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા. આ સમગ્ર મામલે પીડિતાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, એટ્રોસિટી અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિશ્વાસ જીતવા હિન્દુ પૂજાઓમાં પણ બેસતો
મળતી માહિતી મુજબ, આરોપી રહીમ શેખ પીડિત હિન્દુ મહિલા વકીલનો વિશ્વાસ જીતવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતો. પોતાને હિન્દુ તરીકે રજૂ કરવા અને મહિલાને ભરોસો અપાવવા માટે તે તેની સાથે ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથામાં પણ હોંશે-હોંશે બેસતો હતો. તેણે મહિલાની માંગમાં સિંદૂર ભરીને તેને પોતાની પત્ની માની લીધી હોવાનો ઢોંગ રચ્યો હતો અને આ જ બહાને વારંવાર શારીરિક સંબંધો બાંધતો રહ્યો.
ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા મારઝૂડ કરી
જ્યારે પીડિતાએ લગ્ન માટે વાત આગળ વધારી, ત્યારે રહીમનો અસલી ચહેરો સામે આવ્યો. રહીમે મહિલા પર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે મહિલા વકીલે ધર્મ પરિવર્તન માટે સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે રહીમે તેની સાથે મારઝૂડ કરી અને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાતિવિષયક અપશબ્દો કહ્યા.
સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ
સિનિયર વકીલ અને તેમના પરિવારની સંડોવણીનો આરોપ
આ કેસમાં સુરતના મુસ્લિમ સમાજના અગ્રણી અને સિનિયર વકીલ અબ્દુલ વહાબ શેખ અને તેમના પરિવારની પણ મોટી સંડોવણી હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. એવો દાવો કરાયો છે કે અબ્દુલ વહાબ શેખે પીડિતાને પોતાની વાતોમાં ભોળવીને આ દુષ્કર્મમાં આરોપી રહીમને પૂરો સાથ આપ્યો હતો. એટલું જ નહીં, જ્યારે પીડિતા ધર્મ પરિવર્તન માટે ન માની, ત્યારે અબ્દુલ વહાબ શેખે છૂટાછેડા લઈને ઘરે બેઠેલી પોતાની દીકરી મારુફાના નિકાહ રહીમ સાથે કરાવી દીધા અને હિન્દુ મહિલા વકીલની જિંદગી બરબાદ કરી નાખી. હાલ પોલીસ આ સમગ્ર ષડયંત્રની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
Frequently Asked Questions
સુરતમાં લવ જેહાદનો કયો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે?
આરોપી રહીમ શેખે પીડિતાનો વિશ્વાસ જીતવા માટે શું કર્યું?
રહીમ શેખે પોતાને હિન્દુ તરીકે રજૂ કરવા માટે ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથામાં પણ ભાગ લીધો હતો. તેણે પીડિતાની માંગમાં સિંદૂર ભરીને લગ્નનો ઢોંગ કર્યો હતો.
પીડિતાએ ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા શું થયું?
જ્યારે પીડિતાએ ધર્મ પરિવર્તન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, ત્યારે રહીમે તેની સાથે મારઝૂડ કરી અને જાતિવિષયક અપશબ્દો કહ્યા. ત્યારબાદ તેણે અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા.
આ કેસમાં અન્ય કયા લોકોની સંડોવણીનો આરોપ છે?
પીડિતાએ સિનિયર વકીલ અબ્દુલ વહાબ શેખ અને તેમના પરિવાર પર પણ સંડોવણીનો આરોપ લગાવ્યો છે. તેમણે પીડિતાને ભોળવીને રહીમને મદદ કરી હોવાનું જણાવ્યું છે.






















