શોધખોળ કરો

Surat Crime: ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી ચોરી કરી ફરાર 

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરને રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી ત્રણ જેટલી દાનપેટી માંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

સુરત: ડાયમંડ સિટી સુરતમાં હવે ભગવાનના મંદિરો પણ સલામત રહ્યા નથી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરને રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી ત્રણ જેટલી દાનપેટી માંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બુકાની ધારી ત્રણ જેટલા ચોર શખ્સોએ ચોરીની આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટના અંગે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

સુરતમાં તસ્કરોએ ફરી એક વખત તરખાટ મચાવ્યો છે. હમણાં સુધી તો ઘર,ઓફીસ,દુકાનોને તસ્કરો નિશાન બનાવતા હતા પરંતુ હવે ભગવાનના મંદિરોને પણ તસ્કરો દ્વારા નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ત્રણ જેટલી દાનપેટીમાંથી ચોરી કરી ફરાર થઇ ગયા છે. 

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, ઉધના ભગવતી નગર સોસાયટીના કોમન પ્લોટમાં 30 વર્ષ જૂનું ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે મંદિરને તસ્કરોએ રાત્રિ દરમિયાન નિશાન બનાવ્યું છે. મંદિરમાં ત્રાટકેલા ત્રણ જેટલા બુકાનીધારી તસ્કરોએ ત્રણ જેટલી દાનપેટીના નીચેના ભાગને તોડી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. જે સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં ઘરફોડ ચોરીની લાઈવ ઘટના નજરે પડી રહી છે. જે ત્રણેય તસ્કરોએ મોઢે રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ મંદિરમાં રહેલી દાનપેટીને નિશાન બનાવી ફરાર થઇ ગયા છે. 

સવારે સાડા પાંચ વાગ્યે મંદિરના કપાટ ખોલતા દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જ્યારે અન્ય પૂજાપાનો સામાન પણ વેરવિખેર જોવા મળ્યો હતો.ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી.જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ દાનપેટીમાં ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનનો ફાળો હતો. જેનો આંક હાલ જાણી શકાયો નથી.બીજી તરફ મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાથી સૌ ભાવિક ભક્તોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.જ્યાં સુરત શહેરમાં ઘરફોડ ,સ્નેચિંગ ,હત્યા જેવી બનતી ઘટનાઓને લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. જ્યારે સ્થાનિક પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget