![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
News: વારાણસીમાં સંદિગ્ધ આતંકીની ધરપકડ, ISISના નિર્દેશ પર બનાવી રહ્યો હતો 'બ્લેક પાઉડર', NIAએ કર્યુ આ રીતે પર્દાફાશ
NIA એ ગયા વર્ષે 29 જૂને ભારતીય દંડ સંહિતા અને ગેરકાયેદર ગતિવિધિઓ (નિવારણ) કાયદાની જુદીજુદી ધારાઓ અંતર્ગત સ્વતઃ સંજ્ઞાન લેતા કેસ નોંધવામાં આવ્યો હતો.
![News: વારાણસીમાં સંદિગ્ધ આતંકીની ધરપકડ, ISISના નિર્દેશ પર બનાવી રહ્યો હતો 'બ્લેક પાઉડર', NIAએ કર્યુ આ રીતે પર્દાફાશ voice of hind module: nia arrests member of isis from varanasi News: વારાણસીમાં સંદિગ્ધ આતંકીની ધરપકડ, ISISના નિર્દેશ પર બનાવી રહ્યો હતો 'બ્લેક પાઉડર', NIAએ કર્યુ આ રીતે પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/b1f930f34ddd81eef96c6036066d858c1662027928251379_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Terrorist Arrested From Varanasi: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં બે જગ્યાઓ પર દરોડા પાડ્યા અને પ્રતિબંધિત આતંકી સંગઠન ISISના ‘‘વૉઇસ ઓફ હિન્દ મૉડ્યૂલ’’ના એક 'કટ્ટર ચરમપંથી' સભ્યની ધરપકડ કરી લીધી, એક અધિકારીએ આ જાણકારી આપી.
એજન્સીના એક પ્રવક્તાએ કહ્યું- ઉત્તરપ્રદેશમાં વારાણસીના રહેવાસી બાસિત કલામ સિદ્દીકી (24)ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) દ્વારા આતંકવાદી હિંસા દ્વારા ભારત વિરુદ્ધ હિંસક જેહાદ છેડવા માટે યુવાઓને ચરમપંથી બનાવવા અને તેને ભરતી કરવાના કાવતરા સાથે સંબંધિત એક કેસમાં ધરપકડ કરવામાં આવ્યા હતા.
NIA એ ગયા વર્ષે 29 જૂને ભારતીય દંડ સંહિતા અને ગેરકાયેદર ગતિવિધિઓ (નિવારણ) કાયદાની જુદીજુદી ધારાઓ અંતર્ગત સ્વતઃ સંજ્ઞાન લેતા કેસ નોંધવામાં આવ્યો હતો.
ISISના ‘‘વૉઇસ ઓફ હિન્દ મૉડ્યૂલ’’નો 'કટ્ટર ચરમપંથી' સભ્ય- અધિકારી
અધિકારીએ કહ્યું- સિદ્દીકીનુ ISIS આકાઓ સાથે નજીકનો સંપર્ક હતો અને તે 'વૉઇસ ઓફ ખુરાસાન' પત્રિકા દ્વારા ISIS માટે પ્રચાર સામગ્રી તૈયાર કરવા, પ્રકાશન અને પ્રસારમાં સામેલ હતો. તેને કહ્યું કે, તે ISISના 'વૉઇસ ઓફ હિન્દ' મૉડ્યૂલનો 'કટ્ટર ચરમપંથી' સભ્યો હતો.
લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મેહમૂદને ચીને ચોથી વખત બચાવ્યો, વૈશ્વિક આતંકવાદી જાહેર ન થઈ શક્યો
Shahid Mahmood: ચીન ફરી એકવાર ભારત અને અમેરિકાના માર્ગમાં અવરોધ બની ગયું છે. તેમનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ચીને લશ્કર-એ-તૈયબા (LeT)ના શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રસ્તાવ ભારત અને અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં મૂકવામાં આવ્યો હતો. આ ચોથી વખત છે જ્યારે ચીને ભારત અને અમેરિકાના પ્રસ્તાવ પર અટકાવી દીધો છે.
પાકિસ્તાનના સદાકાળના સાથી ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ 42 વર્ષીય મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અવરોધિત કરી દીધો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ડિસેમ્બર 2016માં મહમૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા હતા. જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બરમાં ભારત-અમેરિકાએ આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાની માંગ કરી હતી. આ પ્રસ્તાવ પર ચીને પ્રતિબંધ મૂક્યો હતો. સાજિદ મીર 26/11નો માસ્ટરમાઇન્ડ છે.
શાહિદ લાંબા સમયથી લશ્કરનો સભ્ય હતો
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પરની માહિતી અનુસાર, મેહમૂદ પાકિસ્તાનના કરાચીમાં રહેતા લાંબા સમયથી લશ્કરનો સભ્ય છે અને 2007થી લશ્કર સાથે સંકળાયેલો છે. વધુમાં, મહમૂદે લશ્કર-એ-તૈયબાની માનવતાવાદી અને ભંડોળ એકત્ર કરતી પાંખ ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF)ના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. વેબસાઈટ અનુસાર, શાહિદ મહેમૂદ વર્ષ 2014માં કરાચીમાં FIFનો લીડર હતો. 2013 માં, મેહમૂદની ઓળખ પ્રકાશનના વિંગ કમાન્ડર તરીકે કરવામાં આવી હતી.
પાકિસ્તાનનાં આતંકવાદને ચીનનું ખુલ્લું સમર્થન છે. આ કારણોસર, તે 26/11ના મુંબઈ હુમલા સહિત તમામ આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલા આતંકવાદીઓને યુએન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓની સૂચિમાં અવરોધો મૂકતો રહે છે. એ જ રીતે, જ્યારે સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની વાત આવી ત્યારે ચીને તેને ફરીથી રોકી દીધો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)