શોધખોળ કરો

'કાતિલો અને સોનમે મળીને બનાવ્યો હતો શિલાંગનો પ્લાન, હત્યા બાદ ટ્રેનમાં પરત ફર્યા'- રાજા રઘુવંશીની હત્યામાં મોટો ખુલાસો

રાજા રઘુવંશીની હત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમ રઘુવંશી પોતે આ કાવતરામાં સામેલ હતી

રાજા રઘુવંશીની હત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમ રઘુવંશી પોતે આ કાવતરામાં સામેલ હતી અને તેણે હત્યારાઓ સાથે મળીને શિલોંગ જવાની યોજના બનાવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજાની હત્યા બાદ સોનમ અને બાકીના આરોપીઓ ટ્રેન દ્વારા એકસાથે પાછા ફર્યા હતા. આખી સફર અગાઉથી આયોજિત કરવામાં આવી હતી અને તેનો હેતુ રાજાને ખતમ કરવાનો હતો. પોલીસ સોનમ અને અન્ય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. ટૂંક સમયમાં બધા પુરાવા અને નિવેદનોના આધારે આ હત્યાની સમગ્ર ઘટનાની વિગતો બહાર આવશે. પોલીસ આજે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને આ કેસમાં વિગતવાર માહિતી આપશે. એવું માનવામાં આવે છે કે આમાં હત્યાના કાવતરાની સંપૂર્ણ તસવીર, આરોપીઓ વિશેની માહિતી અને આગળની કાર્યવાહી જાહેર થઈ શકે છે.

પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા

આ કેસમાં પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર રાજ કુશવાહ હતો, જે સતત સોનમ રઘુવંશીના સંપર્કમાં હતો. કોલ ડિટેલ રેકોર્ડ (CDR) ની મદદથી પોલીસે તેને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી હતી.

સૌ પ્રથમ આનંદે રાજા રઘુવંશી પર હુમલો કર્યો અને પછી વિક્કી અને રાજે સાથે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને આ સમગ્ર ષડયંત્રની જાણ ત્યારે થઈ જ્યારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ગાઝીપુર પોલીસને મહત્વપૂર્ણ સંકેતો આપ્યા હતા. સોનમ રઘુવંશીએ નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું, જ્યાંથી તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસ અન્ય કડીઓ પણ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

સોનમે પોતે મેઘાલયની ટિકિટ બુક કરાવી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે પોતે મેઘાલયની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ કોઈ રિટર્ન ટિકિટ બુક કરાવી ન હતી. આનાથી એ શંકા વધુ ઘેરી બને છે કે રાજા રઘુવંશીને મારવાનું કાવતરું પહેલાથી જ ઘડવામાં આવ્યું હતું.

બે આરોપીઓ ઇન્દોર પોલીસની કસ્ટડીમાં છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ કુશવાહા અને વિક્કી ઠાકુર હાલમાં ઇન્દોર પોલીસની કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ત્રીજા આરોપી આનંદને શિલોંગ પોલીસે મધ્યપ્રદેશના સાગરથી અટકાયતમાં લઈને મેઘાલય લઈ જવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓની ભૂમિકા અને પરસ્પર કાવતરાના રહસ્યને ઉકેલવા માટે પોલીસ સતત કોલ રેકોર્ડ, લોકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાઓની મદદ લઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે, કારણ કે કાવતરામાં વધુ લોકો સામેલ હોવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર
Embed widget