શોધખોળ કરો

Jobs 2022: સ્ટેનોગ્રાફરના પદ પર નીકળી બંપર ભરતી, ગ્રેજ્યુએટ્સ જલદી કરે અરજી

Recruitment 2022: આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 27 જુલાઇ સુધી ચાલુ રહેશે. ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ jssc.nic.in પર જઈને અરજી કરી શકે છે.

Recruitment 2022:  નોકરીની શોધમાં બેઠેલા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (જેએસએસસી) એ સ્ટેનોગ્રાફર્સની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 27 જુલાઇ સુધી ચાલુ રહેશે. ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ jssc.nic.in પર જઈને અરજી કરી શકે છે.

કેટલી જગ્યા ભરવામાં આવશે

આ ભરતી અભિયાન દ્વારા સ્ટેનોગ્રાફરની 452 જગ્યાઓ ભરવામાં આવશે.

આવશ્યક શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશન મુજબ આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ.

વય-મર્યાદા

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સાથે જ અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કેટલી છે અરજી ફી

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 5૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કેવી રીતે થશે પસંદગી

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી સ્કીલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

ઉમેદવારોએ સૌપ્રથમ jssc.nic.in વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.

જ્યાં હોમ પેજ પર આપેલા અરજી વિભાગમાં જવું જોઈએ.

અહીં, ઉમેદવારોએ જેએસએસસીઇ -2022 માટે ઓનલાઇન અરજીની લિંક પર ક્લિક કરવું પડશે.

હવે એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો.

આ પછી ઉમેદવારોએ જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવા પડશે.

બાદમાં ઉમેદવારોએ એપ્લિકેશન ફી ચૂકવીને અરજી સબમિટ કરે.

 JEE Main પરીક્ષાનું પરિણામ થયું જાહેર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ આજે જેઈઈ મેઈનની પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કર્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ લોગ ઇન કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે. આ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. આ વર્ષે પરીક્ષાની તારીખોમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે. જેઇઇ મેઇન્સની પરીક્ષા પહેલા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, ત્યારબાદ તારીખ બદલીને મે અને પછી જૂન કરવામાં આવી હતી. જેઇઇ પ્રથમ સત્રની પરીક્ષા 20 જૂનથી શરૂ થઈ હતી અને 29 જૂને સમાપ્ત થઈ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્ર 1 ની પરીક્ષા માટે 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉમેદવારોનું પરિણામ હવે એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget