શોધખોળ કરો

AHMEDABAD : યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શરૂ કર્યું ‘ઓપરેશન સરસ્વતી’, જાણો શું છે આ નવું ઓપરેશન

ગુજરાતમાં યુક્રેનથી પરત આવ્યાં હોય એવા 1100થી વિદ્યાર્થી છે જેઓનો હાલ અભ્યાસ બગડી રહ્યો છે.

AHMEDABAD : યુક્રેન અને રશિયા વચ્ચે અઢી મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે અનેક અભ્યાસ અર્થે ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા.આ વિદ્યાર્થીઓને વતન પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું અને હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યાં હતા.  પરંતુ હવે આ વિદ્યાર્થીઓના અધૂરા રહી ગયેલા અભ્યાસનું સંકટ અને ભવિષ્યને લઈ વાલીઓ ચિંતામાં મુકાયા છે. 

વાલીઓએ શરૂ કર્યું ‘ઓપરેશન સરસ્વતી’ 
ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ષમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે ત્યાંની સ્થિતિ સારી ના હોવાથી ઓનલાઈન અભ્યાસ ચાલે છે, પરંતુ વિદ્યાર્થીઓ લાંબો સમય સુધી મેડિકલના અભ્યાસમાં ઓનલાઈન ભણી શકે નહીં અને ભવિષ્યમાં પરત યુક્રેન જવું પડે તેમ છે, જેની વાલીઓને સૌથી મોટી ચિંતા છે.

એક તરફ યુક્રેન જાય તો જીવનું જોખમ અને ભારતમાં જ રહે તો અભ્યાસને લઈને ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે, જેથી કેટલાક વાલીઓએ સાથે મળીને ઓપરેશન ગંગાની જેમ ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે.આ ઓપરેશનનો ઉદ્દેશ પોતાનાં બાળકોને ભારતમાં જ મેડિકલમાં એડમિશન અપાવવાનો છે.

કમિટી બનાવી મુખ્યપ્રધાનને આપ્યું આવેદન 
‘ઓપરેશન સરસ્વતી’માં હાલ એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાના અનેક લોકો જોડાયેલા છે. હવે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાવા લાગ્યા છે. કમિટી દ્વારા શરૂઆતમાં મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓને રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં ભારતમાં જ તેમનાં બાળકોને એડમિશન આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત અગામી સમયમાં હજુ સરકાર સુધી વાત પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે. વાલીઓનુ કહેવુ છે કે અન્ય રાજ્ય જેમકે કર્ણાટક પશ્ચિમ બંગાળ અને તેલંગાણા  જેવા રાજ્યએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને પોતાના રાજ્યની મેડિકલ ભણાવવા માટે નિર્ણય કર્યા છે તો પછી ગુજરાતમાં કેમ ન થઈ શકે? ગુજરાતમાં  1100થી વિદ્યાર્થીછે જેઓનો હાલ અભ્યાસ બગડી  રહ્યો છે. 

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget