શોધખોળ કરો

UPSC એ લોન્ચ કર્યું નવું એપ્લિકેશન પોર્ટલ, હવે અરજી પ્રક્રિયા થશે વધુ સરળ

હવે UPSCની બધી પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ આ નવા પોર્ટલ મારફતે અરજી કરવી પડશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ ઉમેદવારોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે અને 28 મે 2025થી એક નવું એપ્લિકેશન પોર્ટલ શરૂ કર્યું છે. હવે UPSCની બધી પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ આ નવા પોર્ટલ દ્વારા અરજી કરવી પડશે. તેનો હેતુ અરજી પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.

અત્યાર સુધી ચાલતી વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) સિસ્ટમ બંધ કરવામાં આવી છે. હવે ઉમેદવારોએ https://upsconline.nic.in પર જઈને સીધા અરજી કરવી પડશે અને અહીં તેમના દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ ફેરફાર કમિશન દ્વારા ખાસ કરીને CDS પરીક્ષા-II, 2025 અને NDA અને NA-II, 2025 જેવી પરીક્ષાઓ સાથે લાગુ કરવામાં આવ્યો છે, જેનું નોટિફિકેશન પણ 28 મે ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.

નવા પોર્ટલની વિશેષતા શું છે?

UPSC એ માહિતી આપી છે કે આ નવા પોર્ટલને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને અરજી કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

ખાતું બનાવવું (Account Creation)  - ઉમેદવારો પહેલા તેમની પ્રોફાઇલ બનાવી શકે છે.

નોંધણી(Registration) - આ દ્વારા મૂળભૂત માહિતી ભરીને પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે.

કોમન એપ્લિકેશન ફોર્મ(Common Application Form) - બધી પરીક્ષાઓ માટે સામાન્ય વિગતો અહીં ભરવાની રહેશે.

પરીક્ષા વિશિષ્ટ વિભાગ (Exam Specific Section) -ચોક્કસ પરીક્ષા માટે સૂચના મુજબ જરૂરી માહિતી ભરવાની રહેશે.

સમય અને ઝંઝટમાંથી રાહત

યુપીએસસીનું કહેવું છે કે આ નવી સિસ્ટમ વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની ઉતાવળથી બચાવશે. હવે ઉમેદવારો જ્યારે ઇચ્છે ત્યારે પ્રથમ ત્રણ ભાગ ભરી શકે છે અને કોઈપણ પરીક્ષાની સૂચના આવતાની સાથે જ તેઓ ચોથા ભાગમાં જઈને અરજી પૂર્ણ કરી શકે છે. આનાથી સમય પણ બચશે અને અરજી કરવાનો અનુભવ પહેલા કરતા સારો રહેશે.

ઓળખ માટે આધાર કાર્ડ જરૂરી છે

આયોગે એવું પણ સૂચન કર્યું છે કે બધા ઉમેદવારો અરજી કરતી વખતે તેમના ઓળખ પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરે. આનાથી તેમની ઓળખ સરળતાથી પુષ્ટી થશે અને કોઈપણ દસ્તાવેજમાં ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. ઉપરાંત, આધાર સંબંધિત માહિતી બધી પરીક્ષાઓમાં કાયમી રેકોર્ડ તરીકે રહેશે.                       

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget