શોધખોળ કરો

Lok sabha Election 2024: કોણ બનશે વડાપ્રધાન, શું ઇન્ડિયા ગઠબંધન પાસે છે વિકલ્પ?

છેલ્લી બે ચૂંટણીઓમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનાર ભાજપ 272નો જાદુઈ આંકડો હાંસલ કરી શકી નથી. આવી સ્થિતિમાં દેશના આગામી વડાપ્રધાન કોણ હશે? આ અંગે સવાલો ઉઠવા લાગ્યા છે.

Lok sabha Election 2024:લોકસભા ચૂંટણીના પરિણામો અને વલણો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપ લગભગ 241 બેઠકો સુધી સીમિત જણાય છે. જો કે તેમના નેતૃત્વમાં એનડીએને 292 સીટો પર જીત અથવા લીડ છે. છેલ્લી 2019 અને 2014ની ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર બહુમતી મળી અને નરેન્દ્ર મોદી મજબૂત સરકારના નેતા તરીકે ઉભરી આવ્યા.

પરંતુ, આ ચૂંટણીના પરિણામોએ ભાજપનું આખું ગણિત બગાડી નાખ્યું છે. એનડીએને બહુમતી મળી હોવા છતાં, તેના ઘટક પીએમ મોદીના નેતૃત્વમાં સહજ  ન હોવાનો ઇતિહાસ છે. આમાં સૌથી પહેલું નામ બિહારના સીએમ અને જેડીયુ નેતા નીતિશ કુમારનું છે.

મોદી સાથેની તસવીરને લઈને નીતિશ ગુસ્સામાં હતા

નીતિશ કુમાર વાજપેયી-અડવાણી યુગથી એનડીએનો હિસ્સો હોવા છતાં, તેઓ ક્યારેય પીએમ મોદી સાથે સહજ  રહ્યા નથી. 2009 ની વાત છે, જ્યારે પંજાબના જલંધરમાં ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર હાથ ઉંચો કરતા નીતિશ કુમારની તસવીર મીડિયામાં આવી, ત્યારે નીતીશ કુમાર આવી સામાન્ય વાત પર ગુસ્સે થઈ ગયા. તે સમયે બિહારમાં કોસી નદીમાં ભયંકર પૂર આવ્યું હતું અને તે પૂરમાં બચાવ અને રાહત કાર્ય માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાં નાણાં મોકલ્યા હતા. નીતીશ મોદી સાથેની પોતાની તસવીર જાહેર કરવાથી એટલા ગુસ્સે થયા કે તેમણે પૈસા પરત કરી દીધા હતા.

નીતિશ કોઈ મોટી  ડીલ કરશે?

નિશ્ચિતપણે કહી શકાય કે આ વખતે સીએમ નીતિશની પાર્ટી મોદી કેબિનેટમાં મંત્રાલયો માટે વધુ સોદાબાજી કરવાની સ્થિતિમાં હશે. બીજી તરફ, બિહારમાં ઓછા ધારાસભ્યો હોવા છતાં મુખ્યમંત્રી પદ સંભાળનાર નીતીશ કુમાર રાજ્ય ભાજપ નેતૃત્વને તેમના પર વર્ચસ્વ જમાવતા રોકવામાં સફળ રહેશે. જેડીયુ, એનડીએમાં હોવા છતાં, 2019ની ચૂંટણીમાં 'યોગ્ય' પ્રતિનિધિત્વ ન મળવાને કારણે મોદી સરકારમાં જોડાઈ ન હતી.

એકંદરે એમ કહી શકાય કે અત્યારે ભાજપ 241 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે અને તેના નેતા નરેન્દ્ર મોદી છે. લોકપ્રિયતાના સંદર્ભમાં તેમની સાથે સ્પર્ધા કરવા માટે બીજો કોઈ નેતા દેખાતો નથી, ન તો ભાજપમાં અને ન તો એનડીએમાં.

જે લોકો એવું વિચારે છે કે, ભાજપની 241 સીટો ઓછી છે તો તેમને ખબર હોવી જોઈએ કે આ દેશમાં 1991માં સ્વર્ગસ્થ નરસિમ્હા રાવની સરકાર બની હતી, જે લઘુમતી સરકાર હતી પરંતુ તે પાંચ વર્ષ સુધી ચાલી હતી. તેની પાછળ નરસિમ્હા રાવની વ્યૂહરચના હતી. તેમને ક્યારેય વિપક્ષના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો નથી. ઉપરાંત, અટલ-અડવાણીના નેતૃત્વમાં ભાજપ પાસે વૈકલ્પિક સરકાર આપવાનો કોઈ રસ્તો નહોતો. રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસને 232 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 120 અને જનતા દળને 59 બેઠકો મળી હતી. આમ છતાં નરસિમ્હા રાવની સરકાર પાંચ વર્ષ સુધી ચાલી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget