શોધખોળ કરો
કેરળના પૂરગ્રસ્તો માટે આ બોલીવુડ સુપરસ્ટારે આપ્યા 75 લાખ પણ બીજા સ્ટાર્સના દાનની રકમ શરમજનક, જાણો વિગત
1/8

નવી દિલ્હીઃ કેરાલામાં સદીનું સૌથી ખરાબ પૂર આવ્યું છે, કેરાલામાં 8 ઓગસ્ટથી મચેલી આ તબાહીમાં અત્યાર સુધી 300થી વધુ લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે અને લાખો લોકો બેઘર બની ચૂક્યા છે. હાલ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મદદ અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેરાલાને આર્થિક મદદ માટે નેતા બાદ હવે અભિનેતાઓ પણ આગળ આવ્યા છે.
2/8

પુરગ્રસ્તો માટે તામિલ એક્ટર વિજય સેતુપતિ 25 લાખ રૂપિયા, એક્ટ્રેસ રોહિણીએ 2 લાખ રૂપિયા અને તેલુગુ એક્ટર પ્રભાસ, અલ્લુ અર્જૂન અને ડેવેરાકોન્ડાએ પણ નાની અમથી મદદ કરી છે. આ કડીમાં સાઉથનો સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતે 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ડાયરેક્ટર શંકરે 10 લાખ રૂપિયા પુરગ્રસ્તોની મદદે મોકલ્યા છે. ઉપરાંત મલયાલમી એક્ટર મમુટી અને દલકર સલમાને 15 લાખ અને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મલયાલમી સુપરસ્ટાર મોહનલાલે 25 લાખ CMRDFમાં આપ્યા છે.
Published at : 21 Aug 2018 10:47 AM (IST)
View More




















