![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Boycott Bollywood: PM મોદીના બોલિવૂડ બોયકોટ સંબંધિત નિવેદન પર અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા, કહ્યું- 'હવે વસ્તુઓ હાથમાંથી બહાર નીકળી ગઈ '
Pathaan: PM મોદીના નિવેદન પર અનુરાગ કશ્યપે પ્રતિક્રિયા આપી છે. અનુરાગ કહે છે કે જો તેમણે ચાર વર્ષ પહેલા આ વાત કહી હોત તો ચોક્કસ મદદ થઈ હોત, હવે વસ્તુઓ હાથમાંથી નીકળી ગઈ છે.
![Boycott Bollywood: PM મોદીના બોલિવૂડ બોયકોટ સંબંધિત નિવેદન પર અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા, કહ્યું- 'હવે વસ્તુઓ હાથમાંથી બહાર નીકળી ગઈ ' Anurag Kashyap ruins PM Modi's positive step to get rid of 'Boycott Bollywood' culture Boycott Bollywood: PM મોદીના બોલિવૂડ બોયકોટ સંબંધિત નિવેદન પર અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા, કહ્યું- 'હવે વસ્તુઓ હાથમાંથી બહાર નીકળી ગઈ '](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/7baa351e9fb2314946e240f0dd8ebac3167419298029481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને એક તરફ ચાહકો તરફથી સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મોના બહિષ્કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને સિનેમા પર બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવાની સલાહ આપી હતી. આવી સ્થિતિમાં હવે નિર્દેશક અનુરાગ કશ્યપે પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. અનુરાગ કહે છે કે જો તેમણે ચાર વર્ષ પહેલા આ વાત કહી હોત તો ચોક્કસ મદદ થઈ હોત, હવે વસ્તુઓ હાથમાંથી નીકળી ગઈ છે.
આ વાતનો કોઈ ફર્ક નહી પડે: અનુરાગ
તાજેતરમાં ડીજે મોહબ્બત સાથે ફિલ્મ 'અલમોસ્ટ પ્યાર'ના ટ્રેલર લોન્ચ સમયે અનુરાગ કશ્યપને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું પીએમ મોદીના પગલાંને કારણે બોલિવૂડ બોયકોટનું વલણ ઘટશે. તો અનુરાગે જવાબ આપતા કહ્યું 'જો તેમણે ચાર વર્ષ પહેલા આ વાત કહી હોત તો ચોક્કસપણે મદદ મળી હોત, મને નથી લાગતું કે હવે તેનાથી કોઈ ફરક પડશે.આ તો પોતાના લોકોને કંટ્રોલ કરવાની વાત છે બાકી કોઈ કોઇની વાત સાંભળતું નથી
તમે શાંતિથી નફરતને બળ આપો છો
અનુરાગ કશ્યપે વધુમાં કહ્યું, 'જ્યારે તમે શાંતિથી ભેદભાવને પ્રોત્સાહન આપો છો, જ્યારે તમે શાંતિથી નફરતને બળ આપો છો. આવી સ્થિતિમાં તે પોતે જ એટલો શક્તિશાળી બની ગયો છે કે તે તેમની તાકાત બની ગયો છે, ભીડ કાબૂ બહાર નીકળી ગઈ છે. યાદ અપાવીએ કે ભૂતકાળમાં બોલિવૂડની ઘણી ફિલ્મોનો બહિષ્કાર કરવો પડ્યો હતો, જેની મોટી અસર તેના કલેક્શન પર જોવા મળી હતી.
પઠાણનો બહિષ્કાર થઈ રહ્યો છે
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સુનીલ શેટ્ટી સહિત અન્ય સિનેમેટિક સેલેબ્સે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે બોલિવૂડ બોયકોટ રોકવા માટે મદદ માંગી હતી. નોંધપાત્ર રીતે, અનુરાગ કશ્યપની છેલ્લી રિલીઝ ફિલ્મ દોબારા ભી બોયકોટ પર હતી અને તાપસી-અનુરાગને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં શાહરૂખ ખાનની પઠાણનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, જો કે મોટી સંખ્યામાં લોકો ફિલ્મનું સમર્થન પણ કરી રહ્યા છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)