શોધખોળ કરો

બાંગ્લાદેશ સરકારે રદ કર્યો Nora Fatehiનો ડાન્સ શો, ડોલર સાથે જોડાયેલું છે શો રદ કરવાનું કારણ

આ સમયે વિશ્વના ઘણા દેશોમાં મંદી જોવા મળી રહી છે. પૈસા બચાવવા માટે આ દેશોની સરકારો જુદા જુદા નિર્ણયો લઈ રહી છે.

Nora Fatehi Bangladesh Program: આ સમયે વિશ્વના ઘણા દેશોમાં મંદી જોવા મળી રહી છે. પૈસા બચાવવા માટે આ દેશોની સરકારો જુદા જુદા નિર્ણયો લઈ રહી છે. આ એપિસોડમાં, હવે બાંગ્લાદેશ સરકારે પૈસા બચાવવા માટે બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીના ડાન્સ પ્રોગ્રામને રદ કર્યો છે. નોરા ફતેહી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હતી, જેના માટે સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.

ડોલર સાથે જોડાયેલું છે શો રદ કરવાનું કારણ

બાંગ્લાદેશ સરકારે કરકસરના પગલાંના ભાગરૂપે ડૉલર બચાવવા માટે આ નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે સોમવારે (17 ઓક્ટોબર) જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદેશી મુદ્રા ભંડારને જાળવી રાખવાના હેતુથી નોરા ફતેહીના ડાન્સ શોને મંજૂરી આપવામાં આવી નથી. નોરા 18 નવેમ્બરે ઢાકામાં વિમેન્સ લીડરશિપ કોર્પોરેશનના એક કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હતી અને આ કાર્યક્રમમાં એવોર્ડ્સ આપવા માટે પણ આવવાની હતી.

વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ શું છે?

બાંગ્લાદેશના સાંસ્કૃતિક મંત્રાલયે ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર વચ્ચે ડોલરની ચૂકવણી પર કેન્દ્રીય બેંકના પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યો હતો. જે મુજબ ઓક્ટોબર 12 સુધીમાં વિદેશી મુદ્રા ભંડાર ઘટીને  $36.33 બિલિયન થઈ ગયું હતું. આ ભંડોળથી લગભગ ચાર મહિનાની આયાતની ચૂકવણી જ થઈ શકે છે. એક વર્ષ પહેલાં બાંગ્લાદેશનું વિદેશી મુદ્રા ભંડાર $46.13 બિલિયન હતું. હવે બાંગ્લાદેશની સરકાર પોતાની આ ભંડારને અન્ય ખર્ચાની ચૂકવણીમાં વેડફવવા નથી ઈચ્છતી. જેથી કરીને નોરા ફતેહીના કાર્યક્રમને મંજૂરી આપવામાં નથી આવી. નોરા ફતેહી મોરોક્કન-કેનેડિયન પરિવારમાંથી આવે છે. તેણે 2014થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.

IMF બાંગ્લાદેશ સાથે વાતચીત કરશે

IMFના એશિયા અને પેસિફિક વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એન-મેરી ગુલ્ડે-વુલ્ફે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશને તેની માંગેલી લોન મેળવવામાં મદદ કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આ મહિનાના અંતમાં તેનું પ્રથમ વાટાઘાટ મિશન બાંગ્લાદેશ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી સરકાર સાથે વાતચીત શરૂ કરી શકાય. તેમણે કહ્યું કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર અત્યારે સારા સ્તરે છે, પરંતુ તે સતત ઘટી રહ્યો છે. IMF એક આર્થિક કાર્યક્રમ યોજવાની ચર્ચા કરી રહ્યું છે જેમાં અર્થતંત્રને સ્થિર કરવા અને મંદી અટકાવવાના પગલાં પણ લેવામાં હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget