Kartik Aaryan: કાર્તિક આર્યને 9 કરોડની પાન મસાલાની એડને મારી ઠોકર, લોકોએ કહ્યું, દિલ જીતી લીધું
Kartik Aaryan: પાન મસાલાની જાહેરાતમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ દેખાયા છે. જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનના નામ સામેલ છે. આ દિગ્ગજ સ્ટાર્સ આ જાહેરાતો કરીને વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે.
![Kartik Aaryan: કાર્તિક આર્યને 9 કરોડની પાન મસાલાની એડને મારી ઠોકર, લોકોએ કહ્યું, દિલ જીતી લીધું Karthik Aryan rejects 9 crore pan masala endorsement Kartik Aaryan: કાર્તિક આર્યને 9 કરોડની પાન મસાલાની એડને મારી ઠોકર, લોકોએ કહ્યું, દિલ જીતી લીધું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/29/b66a0dcd197bc3f239a98c99d123d6a11661775692715396_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kartik Aaryan: પાન મસાલાની જાહેરાતમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ દેખાયા છે. જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનના નામ સામેલ છે. આ દિગ્ગજ સ્ટાર્સ આ જાહેરાતો કરીને વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે, જો કે ઘણી વખત તેઓ આ પાન મસાલા જાહેરાતો માટે લોકોના નિશાના પર પણ આવે છે. પરંતુ આ સ્ટાર્સને પાછળ છોડીને બોલિવૂડના ઉભરતા એક્ટર કાર્તિક આર્યન એ એક એવો નિર્ણય લીધો છે જે જાણીને તમે પણ આ એક્ટરના વખાણ કરતા પોતાની જાતને રોકી નહીં શકો. એવા પણ સમાચાર છે કે, અભિનેતાએ આ જાહેરાતને ઠોકર મારીને કરોડો રૂપિયાની ઓફર ફગાવી દીધી છે.
9 કરોડની ઓફર નકારી
બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, કાર્તિક આર્યેને પાન મસાલા એડને એન્ડોર્સ કરવાની ઓફર ઠુકરાવી દીધી છે. આ વાતની પુષ્ટિ એડ ગુરુએ પણ કરી છે. આ એડ ગુરુના મતે, 'આ વાત એકદમ સાચી છે. કાર્તિક આર્યનને આ પાન મસાલા એડને એન્ડોર્સ કરવા માટે લગભગ 8 થી 9 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ ના પાડી દીધી છે. જોકે આ સમગ્ર મામલે કાર્તિક આર્યન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
મોટો નિર્ણય લીધો
કાર્તિક આર્યનના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અભિનેતાએ પૈસાને બદલે પોતાના સિદ્ધાંતોને મહત્વ આપ્યું છે. આવી સ્થિતિમાં, કાર્તિક આર્યનનો આ નિર્ણય ચોક્કસપણે ઘણા બોલિવૂડ સ્ટાર્સ માટે એક ઉદાહરણ રજૂ કરે છે, જેઓ આવા પાન મસાલાની એડ કરે છે. ખાસ વાત એ છે કે થોડા દિવસો પહેલા અક્ષય કુમાર એક પાન મસાલા એડને એન્ડોર્સ કરીને ટ્રોલર્સના નિશાના પર આવ્યો હતો. મામલો એટલો વધી ગયો હતો કે અક્ષય કુમારે સામે આવીને લોકોની માફી માંગી હતી અને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં આવું ક્યારેય નહીં કરે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન છેલ્લે ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળ્યો હતો. તો બીજી તરફ, અભિનેતા તેની બહુ ચર્ચિત ફિલ્મ 'શહજાદા'ને લઈને ચર્ચામાં છે.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)