શોધખોળ કરો

Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ

Madhuri Dixit: રામ નવમીના શુભ પ્રસંગે માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે વારાણસી પહોંચી, જ્યાં તેણીએ ગંગા આરતીમાં ભાગ લીધો. ચાહકોને તેનો સાદો અને સરળ અંદાજ ખૂબ જ ગમ્યો કારણ કે તે કુલ્હાડ ચાની ચૂસકી લેતી જોવા મળી.

Madhuri Dixit: બોલિવૂડની મશહૂર અભિનેત્રી માધુરી દીક્ષિત ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનું કારણ કોઈ ફિલ્મ કે શો નથી, પણ તેમનો આધ્યાત્મિક અને સાદગીભર્યો અંદાજ છે. હાલમાં જ રામનવમીના અવસર પર તે પોતાના પતિ શ્રીરામ નેને સાથે વારાણસી પહોંચી હતી, જ્યાં તેણે શહેરની ધાર્મિક પરંપરાઓ અને સુંદરતાનો આનંદ માણ્યો હતો. બનારસના ઘાટ, ગંગાની શાંતિ અને અહીંનો માહોલ તેમને ખૂબ જ પસંદ આવ્યો, જેની ઝલક તેમની તસવીરોમાં જોવા મળી રહી છે.

નમો ઘાટ પર કુલ્લડ ચા પીતી જોવા મળી માધુરી દીક્ષિત

ગુરુવારે વારાણસીમાં માધુરી દીક્ષિત ગંગા કિનારે પહોંચી હતી. નમો ઘાટ પર તેણે 'અલકનંદા ક્રૂઝ'ની સવારી કરી અને ગંગા કિનારાના દ્રશ્યો નિહાળ્યા. ત્યારબાદ માધુરી અને શ્રીરામ ગંગા આરતીમાં સામેલ થયા હતા, જ્યાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે દીપદાન પણ કર્યું અને પૂરી શ્રદ્ધા સાથે પૂજામાં ભાગ લીધો. આ દરમિયાન તેમનો સાદગીભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં બંને કુલ્લડમાં ચા પીતા અને હાથમાં દીવો લઈને જોવા મળ્યા હતા. આ સાથે જ તેમણે બનારસી ખાણીપીણીનો સ્વાદ પણ માણ્યો, જેનાથી તેમનો આ દિવસ યાદગાર બની ગયો. જાણવા મળી રહ્યું છે કે, તે એક જ્વેલરી શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે અહીં આવી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr. Shriram Nene (@drneneofficial)

કાશી વિશ્વનાથ પહોંચી માધુરી

આ પછી માધુરી દીક્ષિત સવારે મંગલા આરતીમાં સામેલ થઈ અને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ સિવાય માધુરી અને શ્રીરામ અગાઉ ગોરખપુર સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. હોટેલમાં રોકાણ દરમિયાન તેણે પોતાના ચાહકો સાથે મુલાકાત કરી અને પોતાના નવા પ્રોજેક્ટ્સ વિશે વાતચીત પણ કરી. તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત ટૂંક સમયમાં તેની નેટફ્લિક્સ ફિલ્મ **'મા બહેન'**માં તૃપ્તિ ડિમરી સાથે જોવા મળશે, જે 2026માં જ સ્ટ્રીમ થવાની છે.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget