શોધખોળ કરો

Nagarjuna: અભિનેતા નાગાર્જુને તેલંગાણાના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,જાણો સમગ્ર મામલો

Naga Chaitanya Samantha Divorce Row: તેલંગાણા સરકારના મંત્રી કોંડા સુરેખાએ સામંથા-ચૈતન્યના છૂટાછેડા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી નાગાર્જુને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Naga Chaitanya Samantha Divorce Row:  સાઉથ એક્ટર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડાનો મામલો ચર્ચામાં છે. આવી સ્થિતિમાં નાગાર્જુને તેલંગાણા સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી કોંડા સુરેખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં કહ્યું છે કે કોંડા સુરેખાએ જાણીજોઈને તેમના પરિવારની પ્રતિષ્ઠાને બદનામ કરવા માટે અપમાનજનક ટિપ્પણી કરી છે.

વાસ્તવમાં, તેલંગાણા સરકારના મંત્રી કોંડા સુરેખાએ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને અભિનેતા ચૈતન્યના છૂટાછેડા પર ટિપ્પણી કરી હતી. તેણે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકારી પ્રમુખ કેટીઆર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે સામંથા અને નાગા ચૈતન્યને અલગ કરવા પાછળ તેમનો હાથ છે. 

કોંડા સુરેખાએ કેટીઆર પર આરોપ લગાવ્યો હતો
2 ઓક્ટોબરે મીડિયા સાથે વાત કરતી વખતે કોંડા સુરેખાએ કહ્યું હતું કે, સામંથા અને નાગા ચૈતન્યના અલગ થવા પાછળ કેટીઆરનો હાથ છે. તેમના પ્રભાવ હેઠળ, ઘણી અભિનેત્રીઓએ ઉતાવળમાં લગ્ન કરી લીધા અને કેટલીક સિનેમા પણ છોડી દીધી. આ સિવાય કોંડા સુરેખાએ એમ પણ કહ્યું કે, KTRએ ડ્રગ્સ લેતા અને ઘણી અભિનેત્રીઓને તેની લત બનાવી દીધી. આ ઉપરાંત, તેઓએ તેમની ખાનગી માહિતી મેળવવા માટે તેમના ફોન પણ ટેપ કર્યા.

કોંડા સુરેખાએ વિરોધ વધતા સ્પષ્ટતા કરી
નાગાર્જુન સહિત ઘણા લોકોએ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી વિવાદ વધતો જોઈ સુરેખાએ પોતાના શબ્દો પાછા લઈ લીધા. પોતાના એક્સ એકાઉન્ટ પર સ્પષ્ટતા કરતા તેણે લખ્યું, મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો હું આવું કરવા માંગતી હતી. તેના બદલે મેં મહિલાઓનું અપમાન કરતા નેતા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ કેટલાક લોકોએ તેને અલગ રંગ આપ્યો. મારા નિવેદનથી જો કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.

સુરેખાના નિવેદન પર કોણે પ્રતિક્રિયા આપી?
તમને જણાવી દઈએ કે કેટી રામા રાવે આ નિવેદન પર કોંડા સુરેખાને કાનૂની નોટિસ મોકલી હતી. આ સિવાય અક્કીનેની પરિવારે તેને અસંવેદનશીલ અને શરમજનક ગણાવ્યું છે. નાગા ચૈતન્યએ પણ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેને હાસ્યાસ્પદ ગણાવી. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ કરી અને લખ્યું કે, છૂટાછેડાનો નિર્ણય કોઈપણ માટે પીડાદાયક છે. ઘણા વિચાર કર્યા પછી, અમે સહમતિથી આ નિર્ણય લીધો હતો. તેણે આગળ લખ્યું કે અત્યાર સુધી આ મામલે ઘણી પાયાવિહોણી અને વાહિયાત વાતો કહેવામાં આવી રહી છે.

સામન્થાએ જવાબ આપ્યો
સામંથાએ મંત્રીના નિવેદનની પણ ટીકા કરી હતી. તેણે કહ્યું કે છૂટાછેડા સહમતિથી થયા હતા અને મહેરબાની કરીને આવા નિવેદનો કરીને તેની મુસાફરીને મુશ્કેલ ન બનાવો અને લોકોના અંગત જીવનનું સન્માન કરો અને તેમાં દખલ ન કરો.

હવે નાગાર્જુને કાયદેસરની કાર્યવાહી કરી
હવે  નાગાર્જુને કોંગ્રેસ નેતા કોંડા સુરેખા વિરુદ્ધ તેમના નિવેદન અંગે ફરિયાદ નોંધાવી છે. નાગા ચૈતન્યએ આ ફરિયાદની કોપી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ પોસ્ટ કરી છે.

 

આ પહેલા પણ તેણે સુરેખાને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે તમારી કોમેન્ટ તદ્દન ખોટી છે. તમે એક જવાબદાર વ્યક્તિ છો, હું તમને નિવેદન પાછું ખેંચવા વિનંતી કરું છું. પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું હતું કે, તમારા વિરોધીઓની ટીકા કરવા માટે રાજકારણથી દૂર રહેતા ફિલ્મ સ્ટાર્સના જીવનનો ઉપયોગ ન કરો. કૃપા કરીને અન્યની ગોપનીયતાનો આદર કરો.

આ પણ વાંચો...

OTT Release: હવે ઓટીટી પર ધમાલ મચાવશે Deadpool & Wolverine, જાણો ક્યારે ને ક્યાં જોઇ શકશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયોAhmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
Nagarjuna: અભિનેતા નાગાર્જુને તેલંગાણાના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,જાણો સમગ્ર મામલો
Nagarjuna: અભિનેતા નાગાર્જુને તેલંગાણાના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,જાણો સમગ્ર મામલો
Embed widget