શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો
આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે
![ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો Rajasthan CM Ashok Gehlot support to film panipat protesters ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/09105809/Panipatt-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાનીપત' રિલીઝ થયાના થોડાક દિવસો બાદ એક મોટા વિવાદમાં ફસાઇ ગઇ છે. આ વિવાદ ફિલ્મની કહાની સાથે જોડાયેલો છે, જોકે, સ્ટૉરીલાઇન દર્શકોને ખુબ પસંદ આવી રહી છે પણ ફિલ્મમાં દર્શાવાયેલા પાત્રના ચિત્રણ સામે કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. હવે આ વિરોધમાં રાજસ્થાના પૂર્વ સીએમ વસુંધરા રાજેની સાથે સાથે વર્તમાન સીએમ અશોક ગેહલોત પણ આવી ગયા છે. સીએમ અશોક ગેહલોતે આ ફિલ્મને કેટલાક શહેરોમાં બેન કરવાની માંગ કરી છે.
બૉક્સ ઓફિસ પર 'પાનીપત' સારી કમાણી કરી છે. અર્જૂન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મની કહાની એક ઐતિહાસિક ઘટના પર આધારિત છે, પણ હવે રાજસ્થાનમાં આ ફિલ્મનો ગલી ગલીમાં લોકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે.
આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે.
ગેહલોતો કહ્યું કે, 'કોઇપણ જાતિ ધર્મનુ અપમાન થાય છે તો આનાથી લોકોને તકલીફ પડે છે, આનાથી બચવુ જોઇએ.'
શું છે વિરોધનું કારણ....
રાજસ્થાનના લોકોનુ માનવું છે કે ફિલ્મ 'પાનીપત'માં મહારાજા સૂરજમલને લાલચી શાસક બતાવવામાં આવ્યો છે. જેના કારણે રાજસ્થાનમાં લોકો આનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. ઉપરાંત ફિલ્મમાં સૂરજમલનો બ્રજ ઉપરાંત અન્ય ભાષા બોલવાનો પણ વિરોધ થઇ રહ્યો છે.
એટલુ જ નહીં ઇતિહાસકાર પણ ફિલ્મ પર આરોપ લગાવી રહ્યાં છે કે, 'પાનીપત'માં મહારાજા સૂરજમલના પાત્રને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે, જે યોગ્ય નથી. ખરેખરમાં આ પાત્રને ઇતિહાસ પ્રમાણે દર્શાવવુ જોઇતુ હતુ.
![ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/09105802/Panipatt-01-300x168.jpg)
![ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/10024620/Panipattt-03-300x225.jpg)
स्वाभिमानी,निष्ठावान और हृदय सम्राट महाराजा सूरज मल का फ़िल्म निर्माता द्वारा फ़िल्म पानीपत में किया गया ग़लत चित्रण निदंनीय है।#MaharajaSurajmal #Panipat
— Vasundhara Raje (@VasundharaBJP) December 8, 2019
![ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/09105813/Panipatt-03-300x158.jpg)
![ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/09105819/Panipatt-05-300x222.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)