શોધખોળ કરો
Advertisement
સોનુ સૂદે બસ અને પ્લેન બાદ લીધો ટ્રેનનો સહારો, 800 મજૂરોને મોકલ્યા ઉત્તર પ્રદેશ
સોનુ સૂદે રવિવારે રાત્રે મુંબઇના થાણેથી શ્રમિક ટ્રેન મારફતે 800થી વધુ મજૂરો અને તેમના પરિવારના સભ્યોને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ), આઝમગઢ, જૌનપુર અને હાજીપુર માટે રવાના કર્યા
મુંબઇઃ લૉકડાઉન દરમિયાન બસો મારફતે હજારો પ્રવાસી મજૂરોને મુંબઇથી દેશના જુદાજુદા રાજ્યોમાં પહોંચાડીને ખુબ વાહવાહી વ્હોરનાર સોનુ સૂદે મજૂરોની મદદ માટે રવિવારે રાત્રે ટ્રેનોનો સહારો લીધો.
ખરેખર, સોનુ સૂદે રવિવારે રાત્રે મુંબઇના થાણેથી શ્રમિક ટ્રેન મારફતે 800થી વધુ મજૂરો અને તેમના પરિવારના સભ્યોને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ), આઝમગઢ, જૌનપુર અને હાજીપુર માટે રવાના કર્યા. ઉલ્લેખનીય છે કે જે રીતે પ્રવાસી મજૂરોની બસોથી રવાની દરમિયાન સોનુ સૂદ હાજર રહેતા હતા, એવી જ રીતે ટ્રેનથી મજૂરોની રવાનગીના સમયે પણ સોનુ સૂદ થાણે સ્ટેશન પર ખુદ હાજર રહ્યો હતો.
35 વર્ષ જુના ચેરિટી ટ્રસ્ટ દ્વારા સોનુ સૂદની સાથે મળીને પ્રવાસી મજૂરોને ગામડાઓ તરફ મોકલનારી નીતિ ગોયલે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, તેમને જણાવ્યુ કે, ખરેખર, અમે અમારા ટ્રસ્ટના માધ્યમથી એકઠા થયેલા પૈસાથી પ્રવાસી મજૂરોને તેમના ગામડે મોકલી રહ્યાં છીએ, પણ થાણેથી શ્રમિક ટ્રેનમાં સવાર મજૂરોનો ખર્ચ ખુદ રેલવેએ ઉઠાવ્યો, પણ ટ્રેનથી ગયેલા આ એ જ મજૂરો છે, જેમને અમે બસો મારફતે મોકલવાની તૈયારીઓ કરી રહ્યા હતા.
નીતિએ આગળ જણાવ્યુ કે અમે મુંબઇથી રવાના થનારી શ્રમિક ટ્રેનોના ઇન્ચાર્જ સીબી સાલુંકે એ કહેતા સામેથી ફોન આવ્યો હતો કે આજે (રવિવારે) શ્રમિક ટ્રેન છોડવાનો છેલ્લો દિવસ છે, અને આવામાં જો આપણે ઇચ્છીએ તો બસથી જનારા મજૂરોને શ્રમિક ટ્રેનથી રવાના કરી શકીએ છીએ. સામેથી આવેલા આ પ્રસ્તાવથી અમે તરતજ હા પાડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ અને નીતિ ગોયલે શુક્રવારના દિવસે કેરાલાના અર્નાકૂલમમાં ફસાયેલી ઓડિશાની 177 છોકરીઓને એક ખાસ વિમાનથી ભુવનેશ્વર પહોંચાડી હતી. આ માટે બેંગ્લુંરુથી એક વિમાન ખાસ કરીને કોચ્ચી લાવવામાં આવ્યુ હતુ.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion