દિશા પટણીના ઘરે ગોળીબાર: પિતા જગદીશ પટણીનું ભાવનાત્મક નિવેદન, "અમે સનાતની છીએ અને સંતોનું....."
પ્રેમાનંદ મહારાજ સાથે વિવાદ જોડતા ગોલ્ડી બ્રાર ગેંગે ફાયરિંગની જવાબદારી લીધી, પોલીસ તપાસ ચાલુ.

Disha Patani father statement: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ના બરેલી સ્થિત ઘરે બે બાઇક સવાર બદમાશોએ ગોળીબાર કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ દિશા પટણી ના પિતા અને નિવૃત્ત CO જગદીશ પટણી એ એક ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તેમણે તેમની પુત્રી ખુશ્બુ પટણી ના નિવેદનને વિકૃત રીતે રજૂ કરવાનો આરોપ મૂક્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમનો પરિવાર સનાતન ધર્મમાં માને છે અને સંતોનું સન્માન કરે છે. આ ગોળીબારની જવાબદારી ગોલ્ડી બ્રાર ગેંગે લીધી છે, જેનો દાવો છે કે આ ઘટના સંતોના અપમાનના વિરોધમાં કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના ગુરુવારે સવારે લગભગ 7 વાગ્યે બની હતી, જ્યારે બે અજાણ્યા બદમાશોએ દિશા પટણી ના ઘર પર 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે દિશા પટણી ના પિતા જગદીશ પટણી, માતા અને બહેન ખુશ્બુ પટણી ઘરમાં હાજર હતા. ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો, જેના પગલે ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટના બાદ તરત જ એક ધમકીભરી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં આ હુમલાની જવાબદારી ગોલ્ડી બ્રાર ગેંગ દ્વારા લેવામાં આવી હતી.
પ્રેમાનંદ મહારાજ વિવાદ અને જગદીશ પટણીનું નિવેદન
જગદીશ પટણી એ જણાવ્યું કે તેમની પુત્રી ખુશ્બુ પટણી ના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે, અને આ એક ષડયંત્રનો ભાગ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, “અમે સનાતની છીએ અને હિન્દુ ધર્મમાં માનીએ છીએ. સંતો અને ગુરુજી મહારાજનું અમારા જીવનમાં ઉચ્ચ સ્થાન છે અને અમે તેમનું ખૂબ સન્માન કરીએ છીએ. કોઈ પણ ધર્મ વિશે ખરાબ વિચારવું કે ટિપ્પણી કરવી એ અમારા સંસ્કારો નથી." તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે કંઈપણ કાપી-પેસ્ટ કરીને ફેલાવવામાં આવી રહ્યું છે, તે સંપૂર્ણપણે ખોટું છે.
#WATCH | Bareilly, Uttar Pradesh: Retired CO Jagdish Patani (father of actor Disha Patani) says, "...Two unidentified assailants fired at my residence...Police are making all possible efforts...Bareilly Police, SSP, ADG are all working on it...The gunshots are not indigenous;… https://t.co/u7JkPBI8Sp pic.twitter.com/njdpE4bEt0
— ANI (@ANI) September 13, 2025
પોલીસ તપાસ અને ગુનાનો સ્વીકાર
પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ખુશ્બુ પટણી અને દિશા પટણીએ સંતોનું અપમાન કર્યું છે અને આ તો માત્ર એક ટ્રેલર છે, આગળના સમયમાં તેમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ધમકીભરી પોસ્ટ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
જગદીશ પટણી એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ અને તેમની પુત્રી સૈન્ય અને પોલીસ પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તેથી તેઓ આવી ઘટનાઓથી ડરતા નથી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શૂન્ય સહિષ્ણુતાની નીતિને અનુસરે છે, તેથી તેમને આશા છે કે આરોપીઓ જલ્દી પકડાઈ જશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




















