![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sania-Shoaib Divorce: શોએબ મલિક સાથે પાક એક્ટ્રેસ કરશે લગ્ન? અફેરની ખબર વચ્ચે આયશા ઉમરે તોડ્યું મૌન
Sania-Shoaib Divorce: જ્યારે આવા સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું ઘર તૂટી પડવાની આરે પહોંચી ગયું છે, ત્યારે લોકોએ આયેશાને જોરદાર ટ્રોલ કરી.
![Sania-Shoaib Divorce: શોએબ મલિક સાથે પાક એક્ટ્રેસ કરશે લગ્ન? અફેરની ખબર વચ્ચે આયશા ઉમરે તોડ્યું મૌન Pakistani actress replied on the question of marriage with Shoaib Malik Sania-Shoaib Divorce: શોએબ મલિક સાથે પાક એક્ટ્રેસ કરશે લગ્ન? અફેરની ખબર વચ્ચે આયશા ઉમરે તોડ્યું મૌન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/3ca1d52b6023385b9614f5462506b63a166977812864981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sania-Shoaib Divorce: છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. કોઈ અભિનેત્રીના કારણે બંને વચ્ચેના સંબંધો વણસી ગયા છે. પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું ઘર તૂટવાની અણી પર પહોંચી ગયું છે. જે બાદ લોકોએ પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઉમરને ખૂબ જ ખરીખોટી સંભળાવી હતી અને તેને ટ્રોલનો ભોગ બનવું પડ્યું હતું. જો કે આખરે કાંટાળીને હવે આયેશા ઉમરે આ સમગ્ર વિવાદ પર મૌન તોડ્યું છે અને પોતાના અને શોએબ મલિકના સંબંધોનું સત્ય દુનિયાને જણાવી દીધું છે.
સાનિયા અને શોએબના સંબંધમાં તિરાડ
સાનિયા મિર્ઝા અને શોએબ મલિક છેલ્લા ઘણા દિવસોથી તેમના છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં છે. ઘણા દિવસોથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સાનિયા અને શોએબના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સાનિયા અને શોએબના લગ્ન તૂટવાનું કારણ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરે જણાવ્યુ હતું. હવે આયેશા ઉમરે શોએબ મલિક સાથેના તેના અફેર અંગે મૌન તોડ્યું છે.
શોએબ મલિક સાથેના સંબંધો પર પાકિસ્તાની અભિનેત્રીએ શું કહ્યું?
જ્યારે આવા સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું ઘર તૂટી પડવાની આરે પહોંચી ગયું છે, ત્યારે લોકોએ આયેશાને જોરદાર ટ્રોલ કરી. અભિનેત્રીને ઘણા અપશબ્દો સંભળાવ્યા. આવી સ્થિતિમાં હવે આયેશા ઉમરે આ સમગ્ર વિવાદ પર મૌન તોડ્યું છે અને પોતાના અને શોએબ મલિકના સંબંધોની સત્યતા દુનિયાને જણાવી છે.
આયેશાનો જવાબ થયો વાયરલ
વાસ્તવમાં એક યુઝરે આયેશાને શોએબ મલિક વિશે સવાલ કર્યો હતો. યુઝરના સવાલ પર આયેશાએ આપેલો જવાબ હવે વાયરલ થઈ રહ્યો છે. યુઝરે આયેશાને પૂછ્યું હતું કે શું તમારા બંનેનો લગ્નનો કાર્યક્રમ છે? આના જવાબમાં આયેશાએ કહ્યું- ના, બિલકુલ નહીં. તે પરિણીત છે અને તે તેની પત્ની સાથે ખૂબ જ ખુશ છે. હું શોએબ મલિક અને સાનિયા મિર્ઝા બંનેનું ખૂબ સન્માન કરું છું. શોએબ અને હું એકબીજાના સારા મિત્રો છીએ અને એકબીજાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. દુનિયામાં લોકો વચ્ચે પણ આવા સંબંધો હોય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)