અભિનેતામાંથી રાજકારણી બનેલા રજનીકાંતે ભાજપ સામે વિરોધપક્ષોએ ભેગા મળી બનાવેલા મહાગંઠબંધન તરફ આંગળી ચીંધતા આ વાત કરી હતી. જો કે, આજ પત્રકાર પરિષદમાં નોટબંધી વિશે પુછવામાં આવતા, રજનીકાંતે જણાવ્યું કે, નોટબંધીનું અમલીકરણ ખોટુ હતું. આ માટે લાંબી ચર્ચાને અવકાષ છે. રજનીકાંતનાં ચાહકો અને સમર્થકો એ વાતની રાહ જોઇ રહ્યા છે કે, તેઓ કઇ પાર્ટીમાં જોડાશે અથવા તેમની પાર્ટીની જાહેરાત કરે.
2/4
સોમવારે રજનીકાંતે ચેન્નઇમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, શું ભાજપ ખરેખર આટલી ખરાબ પાર્ટી છે કે, સમગ્ર દેશની પાર્ટીઓએ ભેગા મળીને તેને હરાવવી પડે? આ લોકો એવું વિચારી રહ્યા છે. એ તેમનો દ્રષ્ટિકોણ છે”.
3/4
થોડા મહિનાઓ પહેલા જ, રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી છે પણ કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયા નથી પણ સોમવારે તેમણે આપેલા આ નિવેદનથી ફરી વખત રાજકીય અટકળો શરૂ થઇ છે. થોડા મહિનાઓ પછી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને એવી આંશકા સેવાઇ રહી છે કે, રજનીકાંત કદાચ ભાજપમાં જોડાશે.
4/4
ચેન્નઈઃ અભિનેતા રજનીકાંતે સોમવારે કહ્યું કે, જો તમામ વિપક્ષી દળ ભાજપને ખતરનાક કહે છે, તો નિશ્ચિત તેવું જ હશે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે કહેવાતું હતું કે રજનીકાંત ભાજપની ખૂબ જ નજીક છે.