શોધખોળ કરો

રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ

Dharmendra Death News: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. બિકાનેરના ભૂતપૂર્વ સંસદ સભ્ય, ધર્મેન્દ્રનો રાજકારણ સાથે ખાસ સંબંધ હતો, પરંતુ તેમણે માત્ર પાંચ વર્ષમાં જ રાજકારણથી સંન્યાસ લઇ લીઘો.

Dharmendra Death News:બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે 24 નવેમ્બર, સોમવારના રોજ 89 વર્ષની વયે મુંબઈમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. થોડા દિવસ પહેલા તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

બોલીવુડના "હી-મેન" તરીકે જાણીતા ધર્મેન્દ્રએ તેમના શાનદાર ફિલ્મી કરિયરની સાથે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. જોકે, ત્યાં તેમની સફર તેમની ફિલ્મો જેટલી સફળ રહી ન હતી. ચાલો ધર્મેન્દ્રની ટૂંકા ગાળાની પણ ખૂબ જ ચર્ચિત રાજકીય સફર વિશે જાણીએ.

રાજકારણમાં પ્રવેશવાની સ્ટોરી 
2004 માં, ધર્મેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીના સ્વિંગ ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈને રાજકારણમાં પ્રવેશ કર્યો. આ સમય દરમિયાન, તેઓ શત્રુઘ્ન સિંહા સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા.

આ મુલાકાત રાજકારણ તરફ તેમનું પહેલું પગલું હતું. ભાજપે તેમને રાજસ્થાનની બિકાનેર લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા. ધર્મેન્દ્રએ કોંગ્રેસના ઉમેદવાર રામેશ્વર લાલ ડુડીને લગભગ 6૦,૦૦૦ મતોથી હરાવીને ચૂંટણી જીતી અને સંસદમાં પહોંચ્યા.

ધર્મેન્દ્રની રાજકીય કારકિર્દી ટૂંકી પણ યાદગાર હતી.
ધર્મેન્દ્રને રાજકારણ ગમતું ન હતું. તેમની પ્રખ્યાત ફિલ્મ, શોલેના એક સંવાદનો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું હતું કે, જો સરકારે તેમની વાત નહીં સાંભળી, તો તેઓ સંસદની છત પરથી કૂદી પડશે. જોકે તેમણે જબરદસ્ત જીત મેળવી, પરંતુ  તેમની  સંસદમાં  ઓછી હાજરી ચર્ચામાં રહી છે. 

ધર્મેન્દ્રની રાજકીય કારકિર્દી તેમની ફિલ્મો જેટલી સફળ નહોતી. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેઓ ફક્ત થોડી વાર જ સંસદમાં હાજરી આપી શક્યા. બિકાનેરના લોકોએ આરોપ લગાવ્યો હતો કે, તેમના સાંસદ, ધર્મેન્દ્ર  મતવિસ્તારની મુલાકાત લેતા નહોતા કે જનતા સાથે જોડાતા નહોતા. તેમણે તેમનો મોટાભાગનો સમય ફિલ્મોના શૂટિંગમાં અથવા તેમના ફાર્મહાઉસમાં વિતાવ્યો હતો. જો કે, તેમના સમર્થકો હંમેશા કહેતા હતા કે ,ધર્મેન્દ્ર બીકાનેર માટે પડદા પાછળના ઘણા કામ કરે છે.

ધર્મેન્દ્રએ રાજકારણ કેમ છોડ્યું? સની દેઓલે ખુલાસો કર્યો
2009માં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી, ધર્મેન્દ્ર ફરી ચૂંટણી લડ્યા નહીં અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. પાછળથી, તેમના પુત્ર, સની દેઓલે એક મુલાકાતમાં ખુલાસો કર્યો કે, ધર્મેન્દ્ર રાજકારણ ક્યારેય  પસંદ ન હતું.તેમણે એ જોઇન કર્યાનો તેનો અફસોસ વ્યક્ત કર્યો હતો.  ધર્મેન્દ્રએ એકવાર કહ્યું હતું કે, "મેં કામ કર્યું અને કોઈ બીજાએ શ્રેય લીધો. કદાચ તે સ્થાન મારા માટે ન હતું."

બાદમાં, તેમના પુત્ર, સની દેઓલ અને પત્ની, હેમા માલિનીએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો, પરંતુ ધર્મેન્દ્રએ હંમેશા અંતર જાળવી રાખ્યું. સની દેઓલે ગુરદાસપુરથી એક વાર ચૂંટણી જીતી અને પછી રાજકારણ છોડી દીધું. હેમા માલિની ત્રણ વખત મથુરાથી સાંસદ તરીકે  ચૂંટાયા.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Advertisement

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs SA: ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ, સૂર્યા એન્ડ કંપનીએ સિરીઝ જીતીને બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
Embed widget