19) ઉંઝા: કાંતિભાઈ મુળજીભાઈ પટેલ 20) વિસનગર: કિરિટભાઈ પટેલ 21) જામજોધપુર: ચીરાગ કાલરીયા 22) લુણાવાડા: હિરાભાઈ પટેલ 23) કાલાવડ: કાનજીભાઇ પી બથવાર સહિત પાટીદારની કોંગ્રેસ તરફથી ટીકિટ આપવામાં આવે તેવી સંભાવના છે.
2/7
અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રાજકારણમાં વધારે ગરમાવો જોવા મળે છે. ત્યારે કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કવાયત આદરી છે. કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટીએ ત્રણ દિવસ દિલ્હીમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ 72 જેટલા ઉમેદવારો અંગે નક્કી કરી લેવામાં આવ્યું છે. જેમાં મોટા ભાગના રીપિટ જોવા મળી રહ્યા છે. જોકે મુખ્ય વાત એ પણ છે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 72 લોકોની યાદી તૈયાર કરી છે તેમાં સૌથી વધુ પાટીદારો છે.
તમામ વર્તમાન કોંગી ધારાસભ્યોને ટીકીટની ખાત્રી રાજ્યસભા ચૂંટણી વખતે જ અપાઈ ગઈ છે પરંતુ 6 ધારાસભ્યોની રજૂઆતને પણ ધ્યાને રાખીને તેમની બેઠક બદલાવવામાં આવે અથવા તો તેમના પરિવારજન કે નજીકના ટેકેદારોને ટીકીટ મળી શકે છે.
7/7
કોંગ્રેસની આ યાદીમાં 23 પટેલનો નામ જોવા મળી રહ્યા છે. જોકે હજુ પણ ઘણી જગ્યાએ નામ નક્કી કરવામાં આવ્યા નથી તેવું જાણવા મળી રહ્યું છે. હજુ આ યાદીમાં પણ ફેરફારની સંભાવના છે. સંભવત દિવાળી આસપાસ આ નામની જાહેરાત થઈ જશે તેમ છે.