શોધખોળ કરો
મહેસાણા: કાર-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, એક જ પરીવારના 4નાં કમકમાટીભર્યાં મોત
1/4

ભત્રીજાની સગાઈ કરવા માટે પરિવારના સભ્યો ગયા હતા જ્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો તેવું જાણવા મળ્યું હતું. જોકે આ અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત નિપજ્યાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી ગામમાં શોકની લાગણી જોવા મળી હતી.
2/4

મહેસાણા જીલ્લાના ઉદલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જ્યારે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચરઘાણ વળી ગયો હતો.
Published at : 13 Feb 2019 08:19 AM (IST)
Tags :
Mehsana PoliceView More




















